બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / આઠ રાજ્યોમાં જિલ્લા મેજિસ્ટ્રેટને નાગરિકતા આપવાની સત્તા, કેન્દ્ર સરકારે નવા નિયમો કર્યા અમલમાં

વિશ્વ / આઠ રાજ્યોમાં જિલ્લા મેજિસ્ટ્રેટને નાગરિકતા આપવાની સત્તા, કેન્દ્ર સરકારે નવા નિયમો કર્યા અમલમાં

Published By: Nidhi Panchal

Last Updated: 06:55 AM, 21 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે નાગરિકતા સંબંધિત નિયમોમાં મહત્વનો ફેરફાર કરીને આઠ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં જિલ્લા મેજિસ્ટ્રેટને સીધી નાગરિકતા આપવાની સત્તા સોંપી છે. નવા નિયમો હેઠળ અરજદારો માટે રૂબરૂ હાજરી સહિતની પ્રક્રિયાને પણ વધુ કડક બનાવવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નાગરિકતા સંબંધિત નિયમોમાં મહત્વનો ફેરફાર કરતાં બુધવારે નાગરિકતા (ત્રીજો સુધારો) નિયમો, 2026 ની સૂચના જાહેર કરી છે. નવા નિયમો મુજબ ગુજરાત, રાજસ્થાન, પંજાબ, પશ્ચિમ બંગાળ, આસામ, ત્રિપુરા (આદિવાસી વિસ્તારો સિવાય) તેમજ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશોમાં હવે જિલ્લા મેજિસ્ટ્રેટ (ડીએમ)ને ભારતની બહાર જન્મેલા અને સામાન્ય રીતે આ વિસ્તારોમાં રહેતા લાયક અને યોગ્ય અરજદારોને ભારતીય નાગરિકતા આપવાની સત્તા આપવામાં આવી છે. આ નિર્ણયથી નાગરિકતા માટેની પ્રક્રિયામાં મહત્વનો વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે.

US

સરકારે જાહેર કરેલા નવા નિયમો મુજબ, નોંધણી (Registration) અથવા નેચરલાઈઝેશન (Naturalisation) દ્વારા ભારતીય નાગરિકતા મેળવવા માટેની તમામ અરજીઓની પ્રક્રિયા હવે સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટ કરશે. નિયમોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જિલ્લા મેજિસ્ટ્રેટ અરજદારની યોગ્યતા અંગે સંપૂર્ણ રીતે સંતુષ્ટ થયા બાદ, એટલે કે અરજદાર નોંધણી અથવા નેચરલાઈઝેશન માટે લાયક અને યોગ્ય વ્યક્તિ હોવાનું નક્કી થયા પછી તેને ભારતનું નાગરિકત્વ આપશે.

સત્તાઓ સીધી જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપવામાં આવી

આ નવા નિયમો અમલમાં આવતા અગાઉ જે સશક્ત સમિતિઓ (Empowered Committees) અને જિલ્લા સ્તરની સમિતિઓ પાસે નાગરિકતા સંબંધિત સત્તાઓ હતી, તે હવે સમાપ્ત કરવામાં આવી છે. હવે આ તમામ સત્તાઓ સીધી જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપવામાં આવી છે. સરકારે સ્પષ્ટ સૂચના આપી છે કે નિયુક્ત વિસ્તારોમાં સશક્ત સમિતિઓ અથવા જિલ્લા સ્તરની સમિતિઓ પાસે હાલમાં પડતર રહેલી તમામ નાગરિકતાની અરજીઓ તાત્કાલિક સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટને ટ્રાન્સફર કરવામાં આવશે, જેથી નવી વ્યવસ્થા હેઠળ તેમની પ્રક્રિયા આગળ વધારી શકાય.

કેટલીક કડક જોગવાઈઓ પણ કરવામાં આવી

નવા નિયમોમાં અરજદારો માટે કેટલીક કડક જોગવાઈઓ પણ કરવામાં આવી છે. નિયમો મુજબ, અરજી પર સહી કરવા અને ભારત પ્રત્યે વફાદારીનો શપથ લેવા માટે અરજદારે રૂબરૂ હાજર રહેવું ફરજિયાત રહેશે. જો કોઈ અરજદારને યોગ્ય તક આપવામાં આવ્યા બાદ પણ તે અરજી પર સહી કરવા અને વફાદારીનો શપથ લેવા માટે વ્યક્તિગત રીતે હાજર નહીં રહે, તો જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા કલેક્ટર તેની અરજી નામંજૂર કરશે. સરકારનું માનવું છે કે આ જોગવાઈથી નાગરિકતા પ્રક્રિયામાં વધુ પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત થશે.

બહાર પાડવામાં આવેલા આદેશોને પણ રદ

કેન્દ્ર સરકારે આ સાથે અગાઉ નાગરિકતા પ્રક્રિયા સંબંધિત બહાર પાડવામાં આવેલા આદેશોને પણ રદ કરી દીધા છે. જોકે, જે કાર્યવાહી અથવા નિર્ણય અગાઉના આદેશો હેઠળ પહેલેથી થઈ ચૂક્યા છે અથવા જે પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, તેના પર આ રદબાતલનો કોઈ અસર પડશે નહીં. નવા નિયમો હવે જાહેર થયાની સાથે જ અમલમાં આવ્યા છે અને સંબંધિત રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં નાગરિકતા માટેની તમામ નવી તેમજ પડતર અરજીઓની પ્રક્રિયા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચો : દરિયામાં હાઇજેક: તુર્કીના હથિયારોથી ભરેલું જહાજ લૂંટી ગયા લૂટેરા, 6 ભારતીય નાગરિકો પણ હતા સવાર

આ નવા નિયમો દ્વારા કેન્દ્ર સરકારે નાગરિકતા પ્રક્રિયાને વધુ સરળ, જવાબદાર અને સીધી બનાવવાનો પ્રયાસ કર્યો છે. સાથે જ અરજદારોની યોગ્યતા, ઓળખ અને વફાદારીની પ્રક્રિયાને વધુ કડક બનાવીને નાગરિકતા આપવાની સમગ્ર વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા પર ભાર મૂક્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian Citizenship Citizenship Rules 2026 District Magistrate Citizenship

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ