શું ગુજરાતમાં 2022ની ચૂંટણીમાં કોંગ્રેસની નૈયાને પાર લગાડવા પ્રશાંત કિશોર આવશે, શું પ્રશાંત કિશોરના આવ્યા બાદ ગુજરાત કોંગ્રેસને સત્તાનો રસ્તો દેખાશે
પ્રશાંક કિશોપ પર કોંગ્રેસને ભરોસો
2022મા પ્રશાંત કિશરને લાવવા માગ
કોંગ્રેસના નેતાઓએ હાઈકમાન્ડને કરી રજૂઆત
વીટીવી વિશેષમાં હવે વાત કરવી છે. 2022ના રણસંગ્રામ માટે ગુજરાતમાં અત્યારથી જ થઈ રહેલા રાજકીય હલનચલન અંગે. કારણ કે, આ વખતે ભાજપ-કોંગ્રેસ તો હશે જ પરંતુ સામે આમ આદમી પાર્ટી પણ ફૂલ તૈયારીઓ સાથે મેદાનમાં હશે. તેવામાં આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ માટે લીટમસ ટેસ્ટ સાબિત થનાર છે. ત્યારે કોંગ્રેસનું નેતૃત્વ ચમત્કારની આશા રાખી રહ્યું છે. 27 વર્ષથી ગુજરાતમાં સત્તાથી દુર રહ્યા બાદ આવનાર ચૂંટણીઓમાં સત્તા પર આવવાની અપેક્ષાઓ સાથે..કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરને ગુજરાતમાં લાવવાની માંગ કરી રહ્યા છે. શા માટે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો પ્રશાંત કિશોરને ગુજરાતમાં લાવવા માંગે છે? અને શું પ્રશાંત કિશોરના ગુજરાત આગમનથી રાતોરાત કોંગ્રેસ બદલાઈ જશે? આવો જોઈએ આ રિપોર્ટમાં..