બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / DHIRENDRA SHASTRI ON GYANVAPI ISSUE SAID THAT IT IS A SHIV TEMPLE, STOP CALLING IS MOSQUE
Vaidehi
Last Updated: 03:42 PM, 7 August 2023
મધ્યપ્રદેશનાં છિંદવાડામાં રામકથા કરવા પહોંચેલા બાગેશ્વર ધામ સરકારનાં કથવાચક ધીરેન્દ્ર શાસ્ત્રીએ જ્ઞાનવાપીને લઈને મોટું નિવેદન આપ્યું છે. સોમવારે જ્યારે તેમને જ્ઞાનવાપી મામલે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે જ્ઞાનવાપી કોઈ મસ્જિદ નથી, તે ભગવાન શિવનું મંદિર છે. તેને મસ્જિદ કહેવાનું બંધ કરો"
ज्ञानवापी पर बागेश्वर धाम बाबा पंडित धीरेंद्र शास्त्री ने बयान देते हुए कहा- ज्ञानवापी मस्जिद नहीं, शिव मंदिर है, इसे मस्जिद कहना बंद करो. @bageshwardham @Bageshwardhama #GyanvapiCase #Gyanvapi #BageshwarBaba #DhirendraShastri #DhirendraKrishnaShastri #BageshwarDhamSarkar pic.twitter.com/KiRuOogJif
— Shailendra Singh (@Shailendra97S) August 7, 2023
"જે બાલાજીનાં છે તે અમારાં છે"
ધીરેન્દ્ર શાસ્ત્રીએ આગામી MPની ચૂંટણીને લઈને કહ્યું કે," અમે રાજનીતિનાં માણસ નથી, અમને આ બધાંથી દૂર રાખો." આ સિવાય તેમણે કહ્યું કે," તેમને છિંદવાડા આવીને સારું લાગ્યું. તેઓ હંમેશા બધી જગ્યાએ જાય છે. કમલનાથજી ધામ પણ ગયાં છે. સનાતન બધાનું છે. અને અમારા માટે બધાં સમાન છે, સમગ્ર વિશ્વ એકસમાન છે. જે બાલાજીનાં છે તે અમારાં છે. "
ધીરેન્દ્ર શાસ્ત્રીને કમલનાથ પોતાના ઘરે લઈ ગયાં
ધીરેન્દ્ર શાસ્ત્રી જ્યારે છિંદવાડા પહોંચ્યા ત્યારે તેમના સ્વાગત માટે કમલનાથ પોતે અને તેમનો પુત્ર નકુલનાથ એરપોર્ટ પહોંચ્યાં હતાં. એરપોર્ટથી કમલનાથ ધીરેન્દ્ર શાસ્ત્રીને પોતાના ઘરે લઈ ગયાં. ઘરે જ તેમનું તિલક લગાવી સ્વાગત કરવામાં આવ્યું.
પહેલી વખત કોઈ કોંગ્રેસ નેતાએ કરાવી શાસ્ત્રીની કથા
છિંદવાડાનાં સિમરિયામાં ધીરેન્દ્ર શાસ્ત્રીની રામકથા માટે આશરે 25 એકર જમીન ભાડે લેવામાં આવી હતી. સિમરિયામાં જ કમલનાથે 108 ફુટ ઊંચી હનુમાનજીની મૂર્તિ બનાવડાવી હતી જેની સાથે એક મંદિર પણ બનાવ્યું હતું. આ મંદિરની પાસે જ રામકથાનું આયોજન કરવામાં આવ્યું. છિંદવાડાની મારુતિ નંદન સેવા સમિતિનાં સંયોજક આનંદ બખ્શી, પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને સાંસદ નકુલનાથ ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા આયોજિત કરવા માટે ઘણાં સમયથી મહેનત કરી રહ્યાં હતાં. એવું પહેલીવાર બની રહ્યું છે કે કોઈ કોંગ્રેસી નેતા ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાનું આયોજન કરી રહ્યું હોય.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime