બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:41 PM, 13 April 2025
ઉત્તર ભારતમાં આજથી વૈશાખ મહિનો શરૂ થઈ ગયો છે. આ મહિનાનું ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ મહિનામાં પવિત્ર નદીઓમાં સ્નાન કરીને અને દાન કરવાથી વ્યક્તિને સુખ અને સૌભાગ્યનો આશીર્વાદ મળે છે. આ મહિનામાં જપ અને ધ્યાન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મહિનો ચંદ્ર વિશાખા નક્ષત્રમાં હોય ત્યારે શરૂ થાય છે. આથી તેને વૈશાખ મહિનો કહેવામાં આવે છે.
ADVERTISEMENT
ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા કરો પૂજા
વૈશાખ મહિનામાં વિશ્વના રક્ષક તરીકે ઓળખાતા ભગવાન વિષ્ણુના વિવિધ અવતારોની પૂજા કરવામાં આવે છે. જેમ કે ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન પરશુરામ, નરસિંહ, કુર્મ અને બુદ્ધ અવતાર. ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે વૈશાખ મહિનાના શુક્લ પક્ષમાં વ્રત રાખવામાં આવે છે.
ADVERTISEMENT
વૈશાખ મહિનામાં આ દેવીઓની પૂજા કરો
ધાર્મિક ગ્રંથો અનુસાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિએ દેવી લક્ષ્મી માતા સીતાના રૂપમાં પૃથ્વી પરથી પ્રગટ થયા હતા તેથી આ તિથિને ખાસ પૂજનીય માનવામાં આવે છે. તે જ સમયે વૈશાખ મહિનામાં તુલસી પૂજા પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ADVERTISEMENT
વધુ વાંચો: શું તમે પ્રભુ શ્રી રામની બહેનનું નામ જાણો છો? જાણો રામાયણ સાથે જોડાયેલા રોચક તથ્યો
વૈશાખ મહિનામાં વૃક્ષો અને છોડની પૂજા
ADVERTISEMENT
ધાર્મિક માન્યતા અનુસાર દેવી-દેવતાઓ વૃક્ષો અને છોડમાં રહે છે તેથી વૈશાખ મહિનામાં તુલસીના છોડ અને પીપળાના વૃક્ષની ખાસ પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આમ કરવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.