બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / શું તમે પ્રભુ શ્રી રામની બહેનનું નામ જાણો છો? જાણો રામાયણ સાથે જોડાયેલા રોચક તથ્યો

ધર્મ / શું તમે પ્રભુ શ્રી રામની બહેનનું નામ જાણો છો? જાણો રામાયણ સાથે જોડાયેલા રોચક તથ્યો

Last Updated: 08:51 AM, 13 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામાયણ હિન્દુ ધર્મનું પવિત્ર ગ્રંથ છે, જે ભગવાન શ્રી રામના જીવન અને ધર્મના માર્ગને દર્શાવે છે. આ મહાકાવ્યમાં ઘણા એવા અજાણ્યા તથ્યો છે, જે આપણને વિચારવા મજબૂર કરે છે.

રામાયણ ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. આ પવિત્ર ગ્રંથ ભગવાન શ્રી રામના જીવન, તેમના ચરિત્ર અને ધર્મની ઊંડાણપૂર્વક વાત કરે છે. રામાયણ માત્ર રાવણના વધ અને વનવાસની કથા નથી, પરંતુ તેમાં અનેક એવા તથ્યો છે જેને જાણીને આશ્ચર્ય થાય છે. રામાયણના ગ્રંથ અનુસાર, સીતા સ્વયંવરમાં જે ધનુષ્ય તોડવાનું હતું તેનો નામ ‘પિનાક’ હતો. પિનાક ધનુષ્ય ભગવાન શિવનું હતું અને તે અત્યંત શક્તિશાળી હતું. શ્રી રામે તેમનું પરાક્રમ બતાવી આ ધનુષ્ય તોડ્યું હતી.

ramyan

કુંભકરણને ઊંઘનું વરદાન કેમ મળ્યું?

કુંભકર્ણે ભગવાન બ્રહ્મા પાસેથી વરદાન મેળવવા માટે યજ્ઞ કર્યો. ઇન્દ્રને ડર હતો કે તે તેનું સ્થાન માંગશે, તેથી તેણે સરસ્વતીને તેની જીભ પર બેસવા કહ્યું. કુંભકર્ણે ઈન્દ્રાસનને બદલે નિદ્રાસન કહ્યું અને છ મહિનાની ઊંઘનું વરદાન મેળવ્યું.

શાંતા માતા

ઘણા લોકો જાણે છે કે ભગવાન રામના ત્રણ ભાઈ હતા લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. પરંતુ બહુ ઓછા લોકોને ખબર છે કે રામને એક બહેન પણ હતી શાંતા. શાંતા માતા કૌશલ્યાની પુત્રી હતી અને રાજા દશરથે તેમને અંગદેશના રાજા રોમપદને દત્તક આપી દીધા હતા, કારણ કે તેમને સંતાન નહોતું. શાંતા એક વિદુષી અને ગૌરવભર્યા વ્યક્તિત્વવાળી સ્ત્રી હતી.

ramyan-2

લક્ષ્મણ અને તેમની પત્ની ઉર્મિલાની કથા પણ ખૂબ અનોખી છે. જ્યારે રામ વનવાસ ગયા ત્યારે લક્ષ્મણે નિદ્રા દેવીને વિનંતી કરી કે તેઓ તેમના ભાઈ અને ભાભાની સેવા માટે નિદ્રા ન આવે. નિદ્રા દેવીને તેનો સ્વીકાર ત્યારે જ થયો જ્યારે કોઈ બીજું વ્યક્તિ તેના સ્થાને ઊંઘ લેશે. લક્ષ્મણે પોતાની પત્ની ઉર્મિલાનું નામ આપ્યું. ઉર્મિલાએ આ જવાબદારી સ્વીકારી અને પછીના 14 વર્ષ સુધી ઊંઘતી રહી, જેથી લક્ષ્મણ 14 વર્ષ સુધી જાગી શકે.

આ પણ વાંચો : રવિવારના દિવસે ભૂલથી પણ ન કરતા આ કામ, સૂર્યદેવ થઇ જશે નારાજ, આવશે ખરાબ પરિણામ

આ તમામ કથાઓ રામાયણને વધુ ઉજવેલ અને અધ્યાત્મિક દૃષ્ટિએ ઊંડું બનાવે છે. રામાયણમાં છુપાયેલા આવા અનેક તથ્યો જીવનને સમજવા અને જીવવાની દિશા આપતા છે.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Interesting Ramayana stories Unknown facts about Ramayana Ramayana facts
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ