બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:52 PM, 29 December 2025
Posh Putrada Ekadashi 2025: પોષ મહિનાના શુક્લ પક્ષમાં આવતી અગિયારસને પોષ એકાદશી કહેવામાં આવે છે. વર્ષ 2025માં આ ખાસ તિથી 31 ડિસેમ્બરના છે જે આ વર્ષની છેલ્લી અગિયારસ માનવામાં આવે છે. આ દિવસે વ્રત, પૂજા-અર્ચના અને દાન કરવાથી વિશેષ પુણ્ય મળે છે. અને એમ પણ આ 2025 ના વર્ષની છેલ્લી અગિયારસ છે માટે આ દિવસે કરવામાં આવેલું પુણ્ય તેની અસર 2026માં પણ દેખાશે. એવામાં આ દિવસે ખાસ અમુક કાર્ય કરવાથી બચવું જોઈએ. આ દિવસે કરેલ અમુક કામ ભવિષ્યમાં અશુભ પરિણામ આપી શકે છે. પોષ પુત્રદા એકાદશીનું વ્રત સંતાન પ્રાપ્તિ માટે, પારિવારિક સુખ માટે અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા માટે ખૂબ ફળદાયી માનવામાં આવે છે.
ADVERTISEMENT

ધાર્મિક માન્યતા અનુસાર જો આ દિવસે વિધિવત અને શ્રદ્ધા સાથે પૂજા-પાઠ કરવામાં આવે તો સંતાનને લગતી સમસ્યાનો અંત આવે છે. સાથે જ આ તિથી પર કરવામાં આવેલું દાન પણ ખૂબ શુભ ફળ આપે છે. જો કે શાસ્ત્રોમાં એમ પઆન જણાવ્યું છે કે આ દિવસે અમુક શુભ વસ્તુઓનું દાન કરવું જોઈએ નહીં તેના લીધે પોઝિટિવ ને બદલે નેગેટિવ અસર જોવા મળે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT

ADVERTISEMENT
પુત્રદા એકાદશીના દિવસે પીળા રંગના કપડાં, કેસર, ચણાની દાળ, ગોળ અને પીળા ફૂલોનું દાન અત્યંત શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ગ્રહોની સ્થિતિ સુધરે છે અને જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે. આ દિવસે ફળ, અનાજ અથવા ધાર્મિક પુસ્તકનું દાન પણ પુણ્ય આપે છે. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ કે બ્રાહ્મણને દાન આપવું શ્રેષ્ઠ માનવામાં આવે છે.
ADVERTISEMENT
(DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.