બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:53 AM, 2 October 2025
Dussehra 2025: દશેરા દર વર્ષે શારદીય નવરાત્રીના અંત તરીકે દસમા દિવસે (દશમી તિથિ) ઉજવવામાં આવે છે. દશેરા જેને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે દુષ્ટતાનો અંત અને સારાની શરૂઆતનું પ્રતીક છે. આ દિવસે ભગવાન રામ, દેવી દુર્ગા અને શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે. અને દેશભરમાં રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પુતળાઓનું દહન કરવામાં આવે છે. આમ તો દેશઆખામાં રાવણને એક દાનવ તરીકે બાળવામાં આવે છે ત્યારે અમુક જગ્યાઓ એવી પણ છે કે જ્યાં રાવણની પૂજા થાય છે.
ADVERTISEMENT
ધાર્મિક ગ્રંથો અનુસાર બિસરાખ ગામને દસ માથાવાળા રાક્ષસ રાવણનું મોસાળ માનવામાં આવે છે. તેથી આ ગામમાં રાવણ દહનને બદલે તેની ભક્તિ અને શ્રદ્ધાથી પૂજા કરવામાં આવે છે. બિસરાખ ગામ ઉત્તર પ્રદેશ રાજ્યના ગ્રેટર નોઈડા શહેરમાં સ્થિત એક નાનું ગામ છે. અહીં રાવણને સમર્પિત એક મંદિર આવેલું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
મધ્યપ્રદેશમાં આવેલું મંદસૌર એક એવું સ્થળ છે જ્યાં રાવણને બાળવાને બદલે તેની પૂજા કરવામાં આવે છે. મંદસૌર રાવણની પત્ની મંદોદરીનું પિયર હતું. જેના કારણે તે સ્થળ રાવણનું સાસરું તરીકે જાણીતું બન્યું. તેથી પરંપરા મુજબ જમાઈની પૂજા થતી હોવાથી આ સ્થળે રાવણની પણ પૂજા કરવામાં આવે છે.
ADVERTISEMENT
મધ્યપ્રદેશમાં આવેલું રાવણગ્રામ ગામ એક એવું સ્થળ છે જ્યાં રાવણના પૂતળાનું દહન કરવામાં આવતું નથી પરંતુ તેની પૂજા કરવામાં આવે છે. આ સ્થળે દસ માથાવાળા રાક્ષસ રાવણની પૂજા દેવતા તરીકે કરવામાં આવે છે. એક દંતકથા અનુસાર આ ગામમાં રાવણની એક વિશાળ પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે.

ADVERTISEMENT
ઉત્તર પ્રદેશના કાનપુરમાં પણ રાવણની પૂજા થાય છે. જ્યાં દશાનન મંદિર આવેલું છે. આ દશાનન મંદિર આશરે 135 વર્ષ જૂનું છે. આ મંદિર ફક્ત દશેરા પર જ ભક્તો માટે ખુલ્લું રહે છે. બાકીના 364 દિવસ સુધી પ્રતિમા ઢંકાયેલી રહે છે. ભક્તો અહીં રાવણની પ્રાર્થના કરવા, તેલના દીવા પ્રગટાવવા અને દસ માથાવાળા રાક્ષસ રાજા રાવણ પાસેથી શાણપણ અને શક્તિના આશીર્વાદ મેળવવા માટે ભેગા થાય છે.
ADVERTISEMENT
રાજસ્થાનના જોધપુરમાં એક અનોખું મંદિર છે જ્યાં રાવણની પૂજા કરવામાં આવે છે. અહીંના કેટલાક લોકો તેને પોતાનો પૂર્વજ માને છે અને દશેરા પર તેને બાળવાને બદલે તેની પૂજા કરે છે.
આંધ્રપ્રદેશના કાકીનાડામાં રાવણને સમર્પિત એક અનોખું મંદિર છે. જ્યાં લોકો તેને એક શક્તિશાળી અને સમ્રાટ તરીકે પૂજે છે. અહીંના લોકો ભગવાન રામના મહત્વને સ્વીકારે છે પરંતુ રાવણને એક અલગ દ્રષ્ટિકોણથી જુએ છે. આ મંદિરમાં ભગવાન શિવની સાથે રાવણની પૂજા કરવામાં આવે છે.
વધુ વાંચો: દશેરાના દિવસે ગુજરાતના આ નગરમાં ઉજવાય છે ઉત્તરાયણ, કારણ છે વર્ષો જૂની પરંપરા અને રાજાનું નિધન

હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં પણ એક રાવણ મંદિર છે. આ શહેરમાં રાવણની પૂજા કરવામાં આવે છે. કારણ કે અહીંના લોકો માને છે કે તેણે ભગવાન શિવની તપસ્યા કરીને મોક્ષ મેળવ્યો હતો. તેથી અહીંના લોકો રાવણનો આદર કરે છે અને દશેરા પર તેની પૂજા કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.