બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
તેની સાથે જ ધારાવીમાં પોઝિટિવ કેસનો કુલ આંકડો 288 પર પહોંચી ગયો છે. જ્યારે અત્યાર સુધીમાં અહીં 14 લોકોના મોત થઇ ચૂક્યા છે.
.jpg)
ADVERTISEMENT
કેન્દ્ર સરકારે મજૂરોને ઘરે મોકલવાની વ્યવસ્થા કરવી જોઇએ : શિવસેના
કોરોના વાયરસ મહામારીને રોકવા માટે લાગુ બંધ વચ્ચે શિવસેનાએ સોમવારે કહ્યું કે પ્રવાસી મજૂરોને તેમના ઘરે મોકલવાની વ્યવસ્થા કરવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે. શિવસેનાએ કહ્યું કે એવા ઘણા મજૂરો ઝૂપડપટ્ટી વિસ્તાર ધારાવીમાં રહે છે જે કોરોના વાયરસથી ખુબ જ પ્રભાવિત ક્ષેત્રોમાં સામેલ છે. શિવસેનાએ પોતાના મુખપત્ર 'સામના' માં કહ્યું છે કે, આ કેન્દ્ર સરકારની જવાબદારી છે કે તે એવા મજૂરોના ઘરે પહોંચવા માટે ટ્રેન અને બસોની વ્યવસ્થા કરે.
ADVERTISEMENT
.jpg)
તેમા આગળ કહેવામાં આવ્યું કે જો આ મજૂરો આમ જ રસ્તાઓ પર જમા થતા રહ્યા તો તેમના સ્વાસ્થ્યને ખતરો પેદા થઇ શકે છે. સંપાદકીય લેખમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર પોતાની જવાબદારીઓથી પાછળ ન હટી શકે. સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે અમે આશા રાખીએ છીએ કે કેન્દ્ર સરકારે જે પ્રકારની તત્પરતા ગુજરાતના પ્રવાસીઓને ઉત્તરાખંડના હરિદ્વારથી પાછા લાવવામાં દેખાડી, એવી જ તત્પરતા પ્રવાસી મજૂરોના મામલામાં પણ બતાવાશે.
ADVERTISEMENT

સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે આ મજૂરોને ઘરની યાદ આવી રહી છે અને જો તેઓ રસ્તાઓ પર જમા થયા તો ખબર નહીં શું થશે. વિના કોઇનું નામ લીધા શિવસેનાએ કહ્યું કે તેઓેને એ વાતનો ડર છે કે મહારાષ્ટ્રમાં કેટલાક લોકો છિછરી કક્ષાના રાજકીય લાભ માટે પ્રવાસી મજૂરોને 'ઉશ્કેરી' રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.