બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / કેદારનાથના કપાટ બંધ થયા પછી અંદર કેવી રીતે પ્રગટે છે દીવો?, જાણો રહસ્ય

ધર્મ / કેદારનાથના કપાટ બંધ થયા પછી અંદર કેવી રીતે પ્રગટે છે દીવો?, જાણો રહસ્ય

Last Updated: 02:47 PM, 15 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિમાલયની બરફીલી ઉંચાઈઓ વચ્ચે વસેલું કેદારનાથ ધામ એ માત્ર એક મંદિર નથી, તે આસ્થા, ભક્તિ અને અદ્ભુત રહસ્યોથી ભરપૂર એક પવિત્ર યાત્રાધામ છે. ભગવાન શિવનું આ સ્થાન એવું કહેવાય છે જ્યાં જીવનની શરૂઆત અને અંત એક થઈ જાય છે અને ભક્તોને મોક્ષનો માર્ગ મળે છે. અહીં એક એવો દીવો છે જે કાયમી પ્રગટે છે. જ્યારે મંદિરના દરવાજા 6 મહિના માટે બંધ રહે છે, ત્યારે પણ તેની જ્યોત ચાલું જ રહે છે. કેદારનાથના આ અનંત દીવાના રહસ્યે આજે પણ ભક્તો અને વૈજ્ઞાનિકોને આશ્ચર્યમાં નાખ્યા છે.

લાખો કરોડો ભક્તો દર વર્ષે કેદારનાથ ધામની યાત્રા પર ભોલેનાથના દર્શન કરવા માટે પહોંચે છે. હિમાલયની ઊંચી પહાડીઓમાં વસેલું કેદારનાથ ધામ દેવભૂમિ ઉત્તરાખંડના ચાર પવિત્ર ધામોમાંનું એક મહત્વપૂર્ણ સ્થાન છે. કહેવાય છે કે આ સ્થળે દર્શનથી જીવનનો સાર્થક આશય પ્રાપ્ત થાય છે અને મોક્ષનો માર્ગ મળી રહે છે. અહીં ભક્તોને ભગવાન શિવની સ્વયંભૂ ઉપસ્થિતિનો અનોખો અનુભવ થાય છે, જે ભક્તિ અને શાંતિનો માર્ગ બતાવે છે.

kedarnath-final

શિવ પુરાણમાં પણ કેદારનાથ ધામની મહિમાનો વિશેષ ઉલ્લેખ છે. આ પવિત્ર ધામની યાત્રા કરનારને મૃત્યુ પછી મોક્ષ મળે છે એવી માન્યતા છે. કેદારનાથ પાસે આવેલા પવિત્ર તળાવનું પાણી પીવાથી મનુષ્ય જન્મ અને મરણના અનંત ચક્રમાંથી મુક્ત થાય છે, એવું પ્રાચીન ગ્રંથોમાં લખાયું છે. આ ધામ સાથે એક અનોખું રહસ્ય પણ જોડાયેલું છે. જ્યારે દર વર્ષ આ મંદિરના દરવાજા 6 મહિના માટે બંધ રહે છે, ત્યારે પણ મંદિરની અંદરનો દીવો સતત પ્રજ્વલિત રહે છે. અજાણી શક્તિઓથી આ દીવો કાયમી જલતો રહે છે, જેને આજે સુધી કોઈ વૈજ્ઞાનિક રીતે સમજી શક્યું નથી. એવું પણ કહેવાય છે કે મંદિર બંધ રહે તે સમયગાળામાં દેવતાઓ અહીં આવી પૂજા કરે છે.

kedarnath-dham-06

કેદારનાથ ધામના દીવાનું રહસ્ય ભક્તો અને વૈજ્ઞાનિકો બંને માટે આશ્ચર્યજનક છે. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત કેદારનાથ ધામ 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે અને તેને પંચકેદાર પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેનો નિર્માણ પાંડવોના પૌત્ર મહારાજ પરીક્ષિતના પુત્ર મહારાજ જનમેજય દ્વારા કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આદિ શંકરાચાર્યએ તેનો પુન:જીર્ણોદ્ધાર કર્યો હતો.

app promo4

કેદારનાથ મંદિર વર્ષમાં માત્ર 6 મહિના માટે ભક્તોને દર્શન માટે ખુલ્લું રહે છે અને બાકી 6 મહિના માટે મંદિરના દરવાજા બંધ રહે છે. વર્ષ 2025માં, 2 મેના રોજ સવારે 7 વાગ્યે મંદિરના દરવાજા મંત્રોચ્ચાર અને ભવ્ય પૂજા વિધિ પછી ખોલવામાં આવ્યા હતા અને હવે તે 23 ઓક્ટોબર 2025 સુધી ખુલ્લું રહેશે. ખાસ વાત એ છે કે જ્યારે મંદિર 6 મહિના માટે બંધ રહે છે ત્યારે પણ અંદર એક દીવો સતત પ્રજ્વલિત રહે છે. અહીંના સ્થાનિક લોકો કહે છે કે મંદિર બંધ થયા પછી પણ અંદરથી ઘંટનો અવાજ સાંભળવામાં આવે છે. એ વિશે આજ સુધી કોઈ સચોટ વિજ્ઞાનિક કારણ મળી શક્યું નથી.

આ પણ વાંચો : આ રીતે મંદિર બહાર ચંપલ ઉતારવાની ભૂલ ન કરો, નહીંતર દુઃખનો સામનો કરવો પડશે

પુરાણો અનુસાર એવું માનવામાં આવે છે કે જ્યારે મંદિર 6 મહિના માટે બંધ રહે છે ત્યારે દેવતાઓ પોતાના સ્તરે અહીં પૂજા-અર્ચના કરે છે. આમ, કેદારનાથ ધામ ભક્તો માટે નહીં પરંતુ દેવતાઓ માટે પણ પૂજાનું સ્થળ છે. ભગવાન શિવના આ અવલોકન સ્થળે ભક્તો ભક્તિ, શ્રદ્ધા અને આશ્ચર્ય સાથે પહોંચી દર્શન કરી પોતાના જીવનને ધન્ય માને છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kedarnath Dham , Kedarnath temple mystery Shiva temple
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ