બ્રેકિંગ ન્યુઝ
Chintan Chavda
Last Updated: 06:59 PM, 4 July 2025
અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે દેવશયની એકાદશીનું વ્રત રવિવાર, 6 જુલાઈ 2025 ના રોજ છે. હિન્દુ ધર્મમાં આ વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસથી ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે ક્ષીરસાગરમાં યોગ નિદ્રામાં જાય છે, જેને ચાતુર્માસ કહેવામાં આવે છે. આ સમય દરમિયાન તમામ પ્રકારના શુભ કાર્યો બંધ થાય છે.
ADVERTISEMENT
ધાર્મિક માન્યતાઓ અનુસાર, એકાદશીના દિવસે વિધિ-વિધાનથી પૂજા કરવાથી સાધકોને સુખ, સમૃદ્ધિ અને મોક્ષ મળે છે. આ સિવાય, ભક્તો પણ આ દિવસે ઉપવાસ રાખે છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે અજાણતાં ઉપવાસ તૂટી જાય છે. આવી સ્થિતિમાં, ઉપવાસ કરનારના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો આવવા લાગે છે. એવામાં ચાલો જાણીએ કે જો દેવશયની એકાદશીનો વ્રત ભૂલથી તૂટી જાય તો તમારે શું કરવું જોઈએ.
ADVERTISEMENT
દેવશયની એકાદશી તિથી અને સમય
હિન્દુ પંચાંગ અનુસાર, અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી 5 જુલાઈના રોજ સાંજે 6:58 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 6 જુલાઈના રોજ રાત્રે 09:14 વાગ્યે સમાપ્ત થશે. એવામાં, ઉદય તિથિ અનુસાર, દેવશયની એકાદશીનું વ્રત રવિવાર, 6 જુલાઈ, 2025 ના રોજ રાખવામાં આવશે.
ADVERTISEMENT
દેવશયની એકાદશીનો ઉપવાસ ક્યારે તોડવો જોઈએ?
ADVERTISEMENT
જ્યોતિષચાર્ય અનુસાર, એકાદશી વ્રત 7 જુલાઈ 2025 ના રોજ રાખવામાં આવશે. ઉપવાસ માટેનો શુભ સમય સવારે 05:29 થી 08:16 સુધીનો રહેશે.
જો એકાદશીનું વ્રત તૂટી ગયું હોય તો કરો આ ઉપાયો
ADVERTISEMENT
જ્યોતિષીઓના મતે, જો કોઈ કારણોસર કે અજાણતાં એકાદશીનું વ્રત તૂટી જાય, તો ગભરાવાની જરૂર નથી. સૌ પ્રથમ ભગવાન શ્રી હરિ વિષ્ણુ સમક્ષ તમારી ભૂલની ક્ષમા માંગો. આ પછી, તમારી ક્ષમતા મુજબ, કોઈ ગરીબ, બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન, કપડાં અથવા પૈસા દાન કરો. આ પ્રાયશ્ચિતનું એક મહાન માધ્યમ માનવામાં આવે છે.
વધુ વાંચો: દેવશયની એકાદશીથી લઈ નાગ પંચમી સુધી, જુલાઈમાં આવશે આ મુખ્ય વ્રત અને તહેવારો
ADVERTISEMENT
આ સિવાય, ઉપવાસ કરનાર વ્યક્તિએ પ્રતિજ્ઞા લેવી જોઈએ કે તે આગામી એકાદશીનું વ્રત સંપૂર્ણ ભક્તિ, નિયમો અને વિધિઓ સાથે કરશે. જો ઉપવાસ તૂટી જાય, તો દિવસભર ઉપવાસના નિયમોનું પાલન કરતા રહો અને સાંજે, શ્રી હરિની પૂજા કર્યા પછી, વ્રત કથા વાંચો અથવા સાંભળો. એવું માનવામાં આવે છે કે આનાથી માનસિક શાંતિ મળે છે અને ધાર્મિક પાપોથી પણ મુક્તિ મળે છે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.