બ્રેકિંગ ન્યુઝ
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસએ બોબડેએ કહ્યું કે આપણને ખબર નથી કે ખેડૂતો કોવિડથી સુરક્ષિત છે કે નથી. જો કોરોના વાયરસના નિયમોનું પાલન કરવામાં આવશે નહીં તો તબલીગઈ જમાત જેવી સમસ્યા સામે આવી શકે છે.
ADVERTISEMENT
શું છે મામલો ?
નોંધનીય છે કે કોર્ટમાં મરકજ કેસ અને કોવિડ લોકડાઉન દરમિયાન ભીડને ભેગી થવા દેવા મંજૂરી આપવા મામલે એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં દાવો કરવામાં આવ્યો કે સરકારે મરકજમાં વિદેશીઓને મોટી સંખ્યામાં ભેગા થવા માટે અનુમતિ આપીને લાખો લોકોના સ્વાસ્થ્યને ખતરામાં નાખ્યું હતું.
ADVERTISEMENT
પરિસ્થિતિને જાણવા માટે પ્રયત્ન કરી રહ્યા છે: તુષાર મહેતા
આ અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે ખેડૂતોના વિરોધ પ્રદર્શનમાં પણ આ જ સમસ્યા ઊભી થઈ શકે છે જેના પર સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે અમે પરિસ્થિતિને જાણવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.
ADVERTISEMENT
મૌલાના સાદ ક્યાં છે તેની હજુ સુધી કોઈને જાણ નથી
અરજી કરનારે કહ્યું કે મૌલાના સાદ ક્યાં છે તેની હજુ સુધી કોઈને જાણ નથી. મૌલાના સાદના ઠેકાણાઓ પર કોઇ નિવેદન આપવામાં આવ્યું નથી જેના પર કોર્ટે કહ્યું કે અમે એવા પ્રયત્ન કરી રહ્યા છે કે કોરોના વાયરસ ફેલાય નહીં. જાહેર કરવામાં આવેલ દિશા-નિર્દેશનું પાલન કરવામાં આવે તેવું સુનિશ્ચિત કરવામાં આવે.
ADVERTISEMENT
ખેડૂતોમાં કોરોના વાયરસ ફેલાય નહીં તો માટે શું પગલાં લેવામાં આવ્યા છે?
કોર્ટે કેન્દ્રને પૂછ્યું કે વિરોધ કરી રહેલા ખેડૂતોમાં કોરોના વાયરસ ફેલાય નહીં તો માટે શું પગલાં લેવામાં આવ્યા છે? તમે મરકજની ઘટના પરથી શું બોધ લીધો? કોરોના વાયરસથી બચવા માટે શું પગલાં ભરવામાં આવ્યા? સુપ્રીમ કોર્ટે આ મુદ્દાઓ પર બે અઠવાડિયામાં જવાબ માંગ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.