બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો માટે બેંકે મોટી જાહેરાત કરી છે. બેંકે તેના ગ્રાહકોને ચેક સંબંધિત છેતરપિંડીથી બચાવવા માટે 5 લાખ રુપિયા અને તેનાથી વધુના ચેકની ચૂકવણી માટે પોઝિટિવ પે સિસ્ટમ (PPS) ફરજિયાત બનાવી છે. PNBએ એક નિવેદનમાં કહ્યું કે આ નવી સિસ્ટમ 5 એપ્રિલ, 2023થી લાગુ થવા જઈ રહી છે. આ પહેલા પંજાબ નેશનલ બેંકના ગ્રાહકોએ 10 લાખ રુપિયા કે તેથી વધુના ચેક માટે પોઝિટિવ પે સિસ્ટમ હેઠળ ચેકની વિગતો સબમિટ કરવી ફરજિયાત હતી.
ADVERTISEMENT
શું છે પોઝિટિવ પે સિસ્ટમ ?
પીપીએસ એક સિસ્ટમ છે, જે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન દ્વારા ડેવલપ કરવામાં આવી છે. તેમાં ગ્રાહકોને એક ચોક્કસ રકમથી વધુની ચૂકવણી પર બેંકને એકાઉન્ટ નંબર, ચેક નંબર, ઇશ્યૂ તારીખ, રકમ અને જે વ્યક્તિને ચૂકવણી કરવાની હોય છે. તેની સંપૂર્ણ વિગતો આપવાની હોય છે. આ સિસ્ટમનો સૌથી મોટો ફાયદો એ છે કે તે રોકાણકારોને સુરક્ષા આપે છે.
કઈ રીતે ઉઠાવશો ફાયદો
PNBના ગ્રાહક પીપીએસ સિસ્ટમ બ્રાન્ચમાં જઈને ઓનલાઈન બેન્કિંગ, નેટ બેન્કિંગ, PNB વન મોબાઈલ એપ, SMS બેન્કિંગ દ્વારા આ સિસ્ટમનો ઉપયોગ કરી શકે છે. જોકે, એ ધ્યાનમાં રાખવું પડશે કે તમારે ચેક ક્લિયર થવાના એક દિવસ પહેલા આ માહિતી આપવી પડશે.
ADVERTISEMENT
Positive Pay Systemને લઈ આરબીઆઈની ગાઈડલાઈન
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ગાઈડલાઈન અનુસાર 1 જાન્યુઆરી, 2021 ના PNB દ્વારા 50,000 રૂપિયા અને તેથી વધુના ચેક માટે PPS સુવિધા શરૂ કરવામાં આવી હતી. આ પછી, આરબીઆઈ દ્વારા બેંકોને સૂચન કરવામાં આવ્યું હતું કે પાંચ લાખ અને તેથી વધુની રકમના ચેક ક્લિયર કરવા માટે પોઝિટિવ પે સિસ્ટમ કરવામાં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.