બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / 'લંડન જવા માટે ચાર્ટર્ડ ફ્લાઇટ જોઇએ?' કોહલીએ અફવાઓ પર લગાવી બ્રેક, આપ્યો આવો જવાબ
Last Updated: 05:22 PM, 22 March 2026
Virat Kohli: વિરાટ કોહલી લંડનમાં સમય વિતાવવાને લઇ અગાઉ પણ ચર્ચાઓ થઈ હતી. જ્યારે તે ક્રિકેટથી દૂર હોય છે, ત્યારે તે તેના પરિવાર સાથે સામાન્ય જીવન જીવવાનું પસંદ કરે છે. કોહલીએ તેના બાળકોને લાઈમલાઈટથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો છે.
ADVERTISEMENT
ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026 પહેલા ફેલાતી એક મોટી અફવા પર પોતે સામે આવી પ્રતિક્રિયા આપી છે. આ દિગ્ગજ બેટ્સમેને દાવાઓની મજાક ઉડાવતા સ્પષ્ટ કરી દીધુ કે તે સંપૂર્ણપણે નિરાધાર અને પાયાવિહોણા છે.
જોઇએ તો કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિરાટ કોહલીએ માંગ કરી હતી કે જો મેચો વચ્ચે ત્રણ દિવસથી વધુનો અંતર હોય તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તેને લંડન આવવા-જવા માટે ચાર્ટર્ડ ફ્લાઇટ પૂરી પાડે. રવિવારે (22 માર્ચ) કોહલીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફક્ત બે હાસ્યજનક ઇમોજી પોસ્ટ કરીને આ અફવાઓને ફગાવી દીધી છે.
ADVERTISEMENT
કોહલીની પોસ્ટથી અફવાઓ શાંત
આ અહેવાલો ઝડપથી સોશિયલ મીડિયા પર ગતિ પકડી પરંતુ વિરાટ કોહલીના ટૂંકા પ્રતિભાવથી વિવાદ શાંત થઈ ગયો. એ પણ સ્પષ્ટ થઈ ગયું કે તે આવી અટકળોથી નાખુશ હતો.
ADVERTISEMENT
વિરાટ કોહલી તાજેતરમાં લંડનથી ભારત પાછો ફર્યો છે અને આઇપીએલ 2026 માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર કેમ્પમાં જોડાયો છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન આરસીબી 28 માર્ચે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે સિઝનની તેમની પહેલી મેચ રમવાની છે.

ADVERTISEMENT
વિરાટ કોહલીનું વધુ સમય લંડનમાં વિતાવવોછેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. અહેવાલો અનુસાર તે ઑફ-સીઝન દરમિયાન ત્યાં તેના પરિવાર સાથે પ્રમાણમાં સામાન્ય જીવન જીવવાનો પ્રયાસ કરે છે. તેણે સતત તેના બાળકો (વામિકા અને અકાય) ને મીડિયા અને ચાહકોના ધ્યાનથી દૂર રાખવા પર પણ ભાર મૂક્યો છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ 2 લાખનું પર્સ લઈને નીકળી શિખર ધવનની પત્ની, ડિનર ડેટ પર સોફીનો દેખાયો સ્ટાઈલિશ લુક
જોકે આ નિર્ણયથી સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે. કેટલાક માને છે કે લાંબા સમય સુધી વિદેશમાં રહેવાથી રાષ્ટ્રીય ખેલાડીની છબી પર અસર પડી શકે છે, જ્યારે ઘણા ચાહકો તેના વ્યક્તિગત નિર્ણયોને સમર્થન આપી રહ્યા છે.
ADVERTISEMENT
હાલ માટે વિરાટ કોહલીએ પોતાના ખાસ અંદાજમાં સ્પષ્ટ કર્યું છે કે ચાર્ટર્ડ ફ્લાઇટને લઇ જે વાતો થઇ રહી છે તેની હકીકત સાથે કોઇ લેવા-દેવા નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.