ઘરમાં રાખેલા લીલા છોડ ડેકોરેશન માટે તો બેસ્ટ છે જ, પરંતુ તેનાથી આપણું દિલોદિમાગ પણ તરોતાજા રહે છે. તે મનને શાંતિ પણ આપે છે. ઘરમાં વાતાવરણ પણ શુધ્ધ રહે છે. ફેંગસુઇ અનુસાર એક એવો છોડ છે જે ઘરમાં પૈસાને ચુંબકની જેમ ખેંચે છે અને તેનુ નામ છે ક્રસુલા પ્લાન્ટ.
બધાંએ ઘરમાં રાખજો જ જોઈએ આ 1 પ્લાન્ટ
ઘરમાં પૈસા અને પોઝિટિવિટીને આકર્ષે છે આ પ્લાન્ટ
મનને શાંતિ આપી વાતાવરણને શુદ્ઘ રાખે છે
મોટાભાગના લોકોને આ છોડ અંગે જાણ નહીં હોય. ક્રાસુલાને મની ટ્રી પણ કહેવાય છે. ફેંગસુઇમાં તેનુ ખુબ મહત્ત્વ છે. એવુ કહેવાય છે કે આ છોડ ચુંબકની જેમ પૈસાને પોતાની તરફ ખેંચે છે. આ છોડના પત્તા પહોળા અને મુલાયમ હોય છે. તેનો રંગ લાલ અને પીળો હોય છે. ક્રસુલા પ્લાન્ટની સૌથી ખાસ વાત એ છે કે તેના પાંદડા જલ્દી તુટતા કે મુરઝાતા નથી.
આ છોડનુ બહુ ધ્યાન રાખવાની પણ જરુર હોતી નથી. તેમાં 3-4 દિવસ બાદ પાણી નાખશો તો પણ તે તાજા રહેશે. ક્રસુલા પ્લાન્ટ તમે ઘરમાં કોઇ પણ જગ્યાએ રાખી શકો છો. તેને વધુ પડતા તડકા કે છાંયડાની જરુર હોતી નથી.
ક્રસુલા પ્લાન્ટ હંમેશા ઘરના મુખ્ય દરવાજાની જમણી તરફ રાખવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ-શાંતિ અને પૈસા પણ આવે છે. ફેંગ સુઇ અનુસાર આ પ્લાન્ટ ખુબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને તેને ઘરના મુખ્ય દ્વાર પાસે રાખવાથી પૈસા સાથે જોડાયેલી સમસ્યાઓ ઠીક થાય છે. પૈસા સાથે જોડાયેલી પરેશાનીઓ દુર કરવા જ તેને ઘરના પ્રવેશ દ્વાર પર રાખવામાં આવે છે.
જે ઘરના મુખ્ય દ્વાર પર ક્રાસુલા પ્લાન્ટ હોય છે, તે ઘરમાં સૌભાગ્યનો વધારો થાય છે. સાથે સાથે આ છોડ નેગેટિવ એનર્જીને ઘરમાં પ્રવેશતા રોકે છે. આ પ્લાન્ટ ઘરમાં રાખવાથી વ્યક્તિ રોગોથી મુક્ત પણ રહે છે અને આરોગ્ય સારુ રહે છે. તેમજ ઘરમાં અરસ પરસ ઝઘડા થતા નથી. મન શાંત રહે છે અને પારિવારિક કલેશ ખતમ થઇ જાય છે. ઘરમાં પોઝિટિવ એનર્જીને પ્રોત્સાહન મળે છે.