ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / covid 19 these states have promoted students without taking exams

Students Promotion / આ 6 રાજ્યોમાં પરીક્ષા વિના જ પ્રમોટ કરાશે વિદ્યાર્થીઓને, જાણો તમામ વિગતો

Published By: Bhushita

Last Updated: 08:47 AM, 9 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્ર, તમિલનાડુ, છત્તીસગઢ, રાજસ્થાન સહિત અનેક રાજ્યોએ સ્કૂલના વિદ્યાર્થીઓને પરીક્ષા લીધા વિના જ પ્રમોટ કરવાનો નિર્ણય લીધો છે.

ADVERTISEMENT

  • કોરોનાની બીજી લહેરમાં લેવાયો ખાસ નિર્ણય
  • આ 6 રાજ્યોમાં પરીક્ષાને લઈને લેવાયો ખાસ નિર્ણય
  • વિદ્યાર્થીઓને પરીક્ષા વિના જ કરી દેવાશે પ્રમોટ

દેશમાં ફરી એક વાર કોરોનાનો કહેર વધી રહ્યો છે. કોરોનાના વધતા કહેરને જોતા અનેક રાજ્યોમાં સ્કૂલ બંધ કરી દેવાઈ છે. આ સાથે અનેક રાજ્યોએ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને પરીક્ષા વિના પ્રમોટ કરવાનો નિર્ણય કર્યો છે. અનેક રાજ્યની સરકારે કોરોનાના વધતા કેસ અને વિદ્યાર્થીઓની સુરક્ષાને જોતા પરીક્ષા આયોજિત ન કરવાનો નિર્ણય લીધો છે. તો જાણો એ રાજ્યો વિશે, જેઓએ પરીક્ષા વિના જ વિદ્યાર્થીઓને પ્રમોશન આપવાનું નક્કી કરી લીધું છે.  


મહારાષ્ટ્ર
અહીની સરકારે જાહેરાત કરી છે કે ધોરણ 9 અને 11ના દરેક વિદ્યાર્થીઓને પરીક્ષા વિના પાસ કરી દેવાશે. કોરોનાના વધતા કેસને લઈને અભ્યાસ પર અસર થઈ રહી છે. તેને કારણે સરકારે આ નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રના શિક્ષામંત્રી વર્ષા ગાયકવાડે તેની જાણકારી આપી છે. શિક્ષામંત્રી વર્ષા ગાયકવાડે ટ્વિટ કરીને વીડિયો જાહેર કર્યો છે. આ સાથે તેઓએ કહ્યું છે કે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ધોરણ 9 અને 11ના દરેક વિદ્યાર્થીઓને પરીક્ષા વિના પાસ કરી દેવાશે.

તમિલનાડુ
અહીં ધોરણ 9,10 અને 11 ના વિદ્યાર્થીઓને પરીક્ષા વિના પ્રમોટ કરાશે. આ વાતની જાહેરાત મુખ્યમંત્રી પલાની સ્વામીએ કરી છે. તેઓએ કહ્યું છે કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને પરીક્ષા વિના જ 3 ધોરણના વિદ્યાર્થીઓને નવા વર્ષમાં પ્રવેશ અપાશે.  
 


છત્તીસગઢ
હાલમાં સરકારે કહ્યું કે ધોરણ 10 અને 12 સિવાય અન્ય ધોરણના વિદ્યાર્થીઓને પરીક્ષા વિના જ અન્ય વર્ષમાં પ્રમોટ કરી દેવાશે. દરેક શાળાઓ આવનારા આદેસ સુધી બંધ રહેશે. 

રાજસ્થાન
રાજસ્થાન સરકારે પ્રાથમિક કક્ષા માટે પરીક્ષા વિના પદોન્નતિની જાહેરાત કરી છે. અહીં ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓને લર્નિંગ એંગેજમેન્ટ પ્રોગ્રામના આધારે પદોન્નત કરાશે. 

ઓરિસ્સા
સ્કૂલ એન્ડ માસ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, ઓરિસ્સાને ધોરણ 1થી 8 સુધીના વિદ્યાર્થીઓને વિના પરીક્ષા નવા ધોરણમાં પ્રવેશ અપાશે. સરકારે કહ્યું કે નવા શૈક્ષણિક સત્રમાં પહેલાથી 2-3 મહિનાને માટે ઉપચારાત્મક ધોરણની પણ જાહેરાત કરી છે. નિર્ણય શાળા અને જન શિક્ષા વિભાગના દરેક શાળામાં લાગૂ થશે. 

અસમ
અસમ સરકારે ધોરણ 1થી 9ના વિદ્યાર્થીઓને પરીક્ષા વિના નવા ધોરણમાં પદોન્નત કરવાનો નિર્ણય લીધો છે. અસમની શાળામાં નવા શૈક્ષણિક સત્ર 1 એપ્રિલથી શરૂ થયું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Education News Students Promotion exams states અન્ય ધોરણ પરીક્ષા પ્રમોટ પ્રમોશન પ્રવેશ વિદ્યાર્થીઓ શાળા Students Promotion

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ