WHO પ્રમુખ દ્વારા આજે કોરોનાની સ્થિતિ વિશે એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે.
કોરોનાને લઈને WHO પ્રમુખનું મોટું નિવેદન
લોકો આર્થિક પ્રવૃત્તિઓ શરૂ થતી જોવા માંગે છે
કોરોના પર જીત મેળવવામાં લાંબો સમય લાગી શકે છે
WHO અધ્યક્ષ ટેડ્રોસ એડનોમ ગ્રેબિયસે કહ્યું કે આ કોરોના રોગચાળાને રોકવાનો એક માત્ર ઉપાય રસીકરણની સાથે માસ્ક અને સોશિયલ ડિસટેન્સિંગ છે. અત્યાર સુધીમાં વિશ્વભરમાં 780 મિલિયન લોકોને કોરોના વેક્સિન અપાઈ ચૂકી છે.
રોજબરોજ ભારતમાં કેસોની સંખ્યા વધી રહી છે
ભારત કોરોના વાયરસની બીજી લહેર સામે લડી રહ્યું છે. દેશના દરેક રાજ્યમાં, એક રોજબરોજ કોરોનાના દૈનિક કેસોની સંખ્યા રેકોર્ડ તોડી રહી છે. દરરોજ રેકોર્ડ સંક્રમણના કેસો નોંધાઈ રહ્યા છે, સાથે જ ભારત હવે વિશ્વના કોરોના વાયરસથી પ્રભાવિત દેશોની યાદીમાં બીજા સ્થાને આવી ગયું છે. દરમિયાન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ગ્રેબિયસે સોમવારે કહ્યું હતું કે મહામારી સામેનું યુદ્ધ હજુ સરળ નથી. આના પર જીત મેળવવામાં લાંબો સમય લાગશે.
ટેડ્રોસ ગ્રેબિયસે કહ્યું કે રોગચાળાને રોકવાનો એક માત્ર રસીની સાથે માસ્ક અને સામાજિક અંતર છે. અત્યાર સુધીમાં વિશ્વભરમાં 780 મિલિયન લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આ હોવા છતાં, કોરોના સામે રક્ષણ આપવા માટે માસ્ક પહેરવા અને સામાજિક અંતરને વળગી રહેવું જરૂરી છે.
મહામારીને લઈને લોકોના મનમાં આશા જાગી છે: WHO
તેમણે કહ્યું કે આપણે બધા આર્થિક પ્રવૃત્તિઓ વહેલી તકે ફરી શરૂ થતા જોવા માંગીએ છીએ. જીવનની સફર ફરી શરૂ થતી જોવાની ઇચ્છા છે. પરંતુ અત્યારે તો તેમાં સમય લાગશે. આ રોગચાળા વિશે આપણા મનમાં એક આશા છે, જેના ઘણા કારણો છે. આ વર્ષના પ્રથમ બે મહિના દરમિયાન આપણે કોરોના કેસો અને મૃત્યુના મામલે ઘટાડો જોયો છે. આમાંથી આપણે જાણી ગયા છીએ કે કોરોનાના એક વેરિયન્ટને રોકી શકાય છે.
ડો. ટેડ્રોસે કહ્યું કે કોરોના વાયરસને દૂર કરવામાં સમય લાગી શકે છે. ફરીથી, રોગચાળાના ગ્રાફ આખા વિશ્વમાં ખૂબ ઝડપથી વધી રહ્યાં છે. હવે લોકો આ અંગે મૂંઝવણમાં છે, જેના કારણે સંક્રમણના કેસો ઝડપથી વધી રહ્યા છે.