બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:16 AM, 6 April 2024
Manish Sisodia Bail : દિલ્હીના પૂર્વ ડેપ્યુટી CM અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની જામીન અરજી પર આજે એટલે કે શનિવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી થશે. મહત્વનું છે કે, સુનાવણીના એક દિવસ પહેલા શુક્રવારે સિસોદિયાએ તિહાર જેલમાંથી એક પત્ર લખ્યો હતો. પૂર્વ દિલ્હીમાં પોતાના વિધાનસભા ક્ષેત્ર પટપરગંજના લોકોને લખેલા પત્રમાં સિસોદિયાએ કહ્યું હતું કે, તેઓ ટૂંક સમયમાં બહાર મળશે.
ADVERTISEMENT
મનીષ સિસોદિયાને આજે કોર્ટમાંથી જામીન મળવાની આશા છે. રાઉઝ એવન્યુ કોર્ટે તેમને 6 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. અગાઉ 2 એપ્રિલે તેમની જામીન અરજી પર સુનાવણી થઈ હતી. જામીન અરજી પર સુનાવણી દરમિયાન સિસોદિયાના વકીલે કહ્યું હતું કે, EDને હજુ સુધી સિસોદિયા પાસેથી કંઈ મળ્યું નથી. તપાસ પૂર્ણ થયાને 10 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. EDને કોઈ પુરાવા મળ્યા નથી.
સિસોદિયા લગભગ 13 મહિનાથી તિહાડ જેલમાં કેદ
મનીષ સિસોદિયાએ કહ્યું કે, તેઓ શરતી જામીન પણ સ્વીકારવા તૈયાર છે. તેમણે કહ્યું કે, તેઓ કોર્ટના દરેક નિર્ણયને સ્વીકારવા તૈયાર છે. તમને જણાવી દઈએ કે, સિસોદિયા દિલ્હી દારૂ કૌભાંડમાં લગભગ 13 મહિનાથી તિહાડ જેલમાં બંધ છે. મનીષ સિસોદિયાની 26 ફેબ્રુઆરી 2023ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. સંજય સિંહને સુપ્રીમ કોર્ટમાંથી શરતી જામીન મળ્યા બાદ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, સિસોદિયાને પણ તે જ રીતે જામીન મળી શકે છે જે રીતે તેમને જામીન મળ્યા હતા .આવી સ્થિતિમાં જો તેમને આજે કોર્ટમાંથી જામીન મળી જશે તો તે દિવસોમાં જેલમાંથી મુક્ત થઈ જશે.
ADVERTISEMENT
જેલમાંથી લખ્યો પત્ર, જલ્દી બહાર આવશે
દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં તિહાડમાં બંધ સિસોદિયાએ શુક્રવારે જે પત્ર લખ્યો હતો, તેમાં તેણે આશા વ્યક્ત કરી હતી કે, તે જલ્દીથી જેલમાંથી બહાર આવશે. સિસોદિયાએ પોતાના પત્રમાં લખ્યું છે કે, અંગ્રેજોને પણ પોતાની શક્તિ પર ઘમંડ હતો. અંગ્રેજો પણ લોકોને ખોટા આરોપમાં જેલમાં ધકેલી દેતા હતા. અંગ્રેજોએ ગાંધી-મંડેલાને પણ કેદ કર્યા. અંગ્રેજ શાસકોની સરમુખત્યારશાહી છતાં આઝાદીનું સ્વપ્ન સાકાર થયું.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.