બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Country should not be protested in the name of individual protest: PM Modi advises opposition

સલાહ / વ્યક્તિ વિરોધના નામે દેશ વિરોધ કરવો જોઈએ નહીં: PM મોદીએ વિપક્ષને આપી શિખામણ

ParthB

Last Updated: 11:09 AM, 26 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હાલના સમયમાં વિચારધારા  કે રાજકીય હિતોને સમાજ અને દેશના હિત કરતાં ઉપર રાખવાની પ્રથા શરૂ થઈ છે.

  • ઘણી વખત, કેટલાક વિપક્ષી દળો સરકારના કામમાં અવરોધો મૂકે- PM મોદી
  • પક્ષ અને વ્યક્તિનો વિરોધ, દેશના વિરોધમાં ન બદલાય 
  • ઈમરજન્સી વખતે બધા પક્ષો ભેગા મળીને લોકશાહી બચાવવા લડ્યા હતા 

PM મોદીએ  રાજકીય પક્ષોને સલાહ  આપી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે યાદવ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ હરમોહન સિંહ યાદવની 10મી પુણ્યતિથિ પર આયોજિત કાર્યક્રમને વર્ચ્યુઅલ રીતે સંબોધન કર્યું હતું. જેમાં પીએમ મોદીએ હરમોહન યાદવના કાર્યોની ગણતરી કરી અને તેમની પાસેથી શીખવાની અપીલ કરી. આ સાથે પીએમએ રાજકીય પક્ષોને સલાહ પણ આપી હતી.

ઘણી વખત, કેટલાક વિપક્ષી દળો સરકારના કામમાં અવરોધો મૂકે- PM મોદી

પીએમ મોદીએ ઉમેર્યું કે, ઘણી વખત, કેટલાક વિપક્ષી દળો સરકારના કામમાં અવરોધો મૂકે છે કારણ કે જ્યારે તેઓ સત્તામાં હતા, ત્યારે તેઓ પોતાના માટેના નિર્ણયોને લાગુ કરી શકતા ન હતા.

પક્ષ અને વ્યક્તિનો વિરોધ, દેશના વિરોધમાં ન બદલાય 

પીએમ મોદીએ કહ્યું કે દરેક રાજકીય પક્ષની જવાબદારી છે કે પક્ષનો વિરોધ, વ્યક્તિનો વિરોધ દેશના વિરોધમાં ન બદલાય. વિચારધારાઓનું પોતાનું સ્થાન છે અને હોવું જોઈએ. જો રાજકીય મહત્વાકાંક્ષા હોય તો હોઈ શકે છે. પરંતુ, દેશ પ્રથમ છે, સમાજ પ્રથમ છે. રાષ્ટ્ર પ્રથમ છે.પીએમએ કહ્યું કે આજનો દિવસ આપણા દેશ માટે પણ ઘણો મોટો લોકશાહી દિવસ છે. આજે આપણા નવા રાષ્ટ્રપતિએ શપથ લીધા છે. આઝાદી બાદ પ્રથમ વખત આદિવાસી સમાજમાંથી મહિલા રાષ્ટ્રપતિ દેશનું નેતૃત્વ કરવા જઈ રહી છે.

વ્યક્તિ કરતાં પક્ષ મોટો, પક્ષ કરતાં દેશ 

પીએમ મોદીએ કહ્યું કે વ્યક્તિ કરતાં પક્ષ મોટો, પક્ષ કરતાં દેશ મોટો કારણ કે પક્ષોનું અસ્તિત્વ લોકશાહીને કારણે છે અને લોકશાહીનું અસ્તિત્વ દેશને કારણે છે. આપણા દેશના મોટાભાગના પક્ષો ખાસ કરીને તમામ બિનકોંગ્રેસી પક્ષોએ આ વિચારને દેશ માટે સહકાર અને સંકલનના આદર્શ તરીકે અનુસર્યો છે. 

ઈમરજન્સી વખતે બધા પક્ષો ભેગા મળીને લોકશાહી બચાવવા લડ્યા હતા 

મોદીએ એવું કહ્યું કે જ્યારે ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું ત્યારે તમામ મુખ્ય પક્ષો સરકાર સાથે ઉભા હતા. જ્યારે દેશે પ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યું ત્યારે પણ તમામ મુખ્ય પક્ષો સરકારની સાથે ઉભા હતા. પરંતુ જ્યારે ઈમરજન્સી દરમિયાન દેશની લોકશાહીને કચડી નાખવામાં આવી હતી, ત્યારે આપણે બધાએ સાથે મળીને લોકશાહી બચાવવા લડ્યા હતા. 

પક્ષ અને વ્યક્તિનો વિરોધ દેશ વિરુદ્ધ ન થાય તે જોવાની બધા રાજકીય પક્ષોની ફરજ 

કાર્યક્રમમાં આગળ બોલતા પીએમ મોદીએ કહ્યું કે અહીં આપણી વિચારધારાઓ કરતાં દેશ અને સમાજનું હિત મોટું છે. જો કે હાલના સમયમાં સમાજ અને દેશના હિતથી વિચારધારાને ઉપર રાખવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. મોદીએ કહ્યું કે દરેક રાજકીય પક્ષની જવાબદારી છે કે પક્ષ અને વ્યક્તિનો વિરોધ દેશ વિરુદ્ધ ન થાય. રાજકીય મહત્વાકાંક્ષા હોઈ શકે છે પરંતુ દેશ ટોચ પર છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Opposition PM modi advises statement પીએમ મોદી વિરોઘપક્ષ સલાહ PM Modi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ