બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
કોરોના વાયરસના પ્રકોપને ખતમ કરનારી વેક્સીન ક્યારે બનશે? આ જીવલેણ વાયરસની વેક્સીન બનાવવામાં વૈજ્ઞાનિકોને કેવા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે? આવા ઘણા પ્રશ્નો સમગ્ર દુનિયામાં લોકોને મગજમાં ફરી રહ્યા છે. આ પ્રકારના સવાલો પર અમેરિકાના પ્રસિદ્ધ વાયરોલૉજિસ્ટ અને બાયોટેક ગુરુ પીટર કોલચિંસ્કીએ જણાવ્યું.
પીટર કોલચિંસ્કીએ જણાવ્યું કે કોરોના વાયરસની વેક્સીન બનાવવામાં વૈજ્ઞાનિક દિવસ-રાત મહેનત કરી રહ્યા છે અને એમને આશા છે કે આ વર્ષના અંત સુધી ઘણી વૈક્સીનોલૉજિસ્ટને સફળતા મળી શકે છે, જો કે વૈક્સીન બન્યા બાદ પણ મોટા પાયા પર એની ઉપલબ્ધતાને લઇને પડકાર રહેશે.
ADVERTISEMENT
કોલચિંસ્કીએ કહ્યું, 'મને આશા છે કે આવતા વર્ષના પહેલા ત્રણ મહિનાની અંદર વૈક્સીનના પૂરતા પ્રોડક્શન પર પણ કામ કરી લેવામાં આવશે. વૈક્સીન બન્યા બાદ એ શહેરો, સ્કૂલો, હૉસ્પિટલો અને તમામ જગ્યા પર પહેલા કામ થવું જોઇએ જ્યાં આ મહામારીના કારણે વધારે હાલાત થઇ છે.'
અમેરિકન વાયરોલૉજિસ્ટે જણાવ્યું કે દુનિયાભરમાં વૈજ્ઞાનિકની કમજોર કડીને પકડવાનો પ્રયત્ન કરી રહી છે. કોરોના વાયરસને લઇને શરૂઆતી તબક્કામાં મોટાભાગે વૈજ્ઞાનિકોને ખાસ અનુભવ નહતો. પરંતુ ઇન્ડસ્ટ્રીમાં એને લઇને હવે ઝડપથી વિકસિત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.