બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં NRI યુવકના અકસ્માત બાદ રાજકીય ગરમાવો
Last Updated: 08:32 AM, 16 February 2026
અમદાવાદમાં NRI યુવક દ્વારા થયેલા સામાન્ય કાર અકસ્માત બાદ વિવાદ ઉભો થયો છે. NRI યુવક સુનિલ પટેલે અકસ્માત કર્યો હતો. સીટીએમ પાસે અમી અખંડાનંદ સોસાયટી નજીક મહિલાના એક્ટિવા સાથે વાહન ટકરાયું હતું. મહિલા અમરાઈવાડીના ધારાસભ્યની પૂર્વ કર્મચારી હોવાનો ખુલાસો થયો હતો. નાની ઘટનામાં રાજકીય દબાણ શરૂ થવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
ADVERTISEMENT

NRI યુવક સુનિલ પટેલએ કર્યો હતો અકસ્માત
ADVERTISEMENT
અમદાવાદમાં NRI યુવક દ્વારા થયેલા સામાન્ય કાર અકસ્માત બાદ વિવાદ ઉભો થયો છે. NRI યુવક સુનિલ પટેલે અકસ્માત કર્યો હતો. સીટીએમ પાસે અમી અખંડાનંદ સોસાયટી નજીક મહિલાના એક્ટિવા સાથે વાહન ટકરાયું હતું. મહિલા અમરાઈવાડીના ધારાસભ્યની પૂર્વ કર્મચારી હોવાનો ખુલાસો થયો હતો. નાની ઘટનામાં રાજકીય દબાણ શરૂ થવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

ADVERTISEMENT
પૂછપરછ દરમિયાન માર માર્યાનો યુવકનો આક્ષેપ
અમરાઈવાડીના ધારાસભ્ય ડો. હસમુખ પટેલ પર ગુંડાગીરીના ગંભીર આક્ષેપ છે. ધારાસભ્યના કહેવાથી ગુરૂવારે રાત્રે પોલીસ યુવકના ઘરે પહોંચી હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે. શુક્રવારે પોલીસ સ્ટેશન બોલાવીને પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમ્યાન માર માર્યાનો યુવકનો આક્ષેપ છે. ત્યાર બાદ ડી-સ્ટાફ પોલીસ યુવકને ધારાસભ્યની ઓફિસ લઈ ગઈ હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ આજથી શરૂ થયું ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, બપોરે 12 વાગ્યે મળશે પ્રથમ બેઠક
ઓફિસમાં મોબાઈલ બહાર મૂકાવીને માર માર્યાનો આરોપ
ADVERTISEMENT
ઓફિસમાં મોબાઈલ બહાર મૂકાવીને માર માર્યાનો આરોપ છે. ભાજપના સ્થાનિક આગેવાનની હાજરીમાં ઘટના બની હોવાનો દાવો કર્યો છે. સમગ્ર ઘટનામાં પોલીસ અને રાજકીટ દબાણની સંકળાયલ ભૂમિકા ચર્ચામાં છે. આ કેસમાં સમાધાન થતા ફરિયાદ નહિ થઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.