બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
Last Updated: 05:04 PM, 5 May 2024
હિંમતસિંહે બાઇક રેલી યોજી
ADVERTISEMENT
આજે લોકસભા ચૂંટણી માટેના પ્રચારનો અંતિમ દિવસ છે.. જે અંતિમ દિવસે કોંગ્રેસ દ્વારા મતદારોને રીઝવવા માટેના પ્રયાસો કરાયા હતા..અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલે બાઈક રેલી યોજી હતી..બાપુનગર ચાર રસ્તાથી સુખરામનગર સુધી બાઈક રેલીનું આયોજન કરાયું હતું.બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને લોકો જોડાયા હતા. આ દરમ્યાન હિંમતસિંહ પટેલે કહ્યું કે ભાજપના ખોટા વાયદાથી આ વખતે મતદારો પરેશાન છે .તેમણે કહ્યું કે અત્યારે મતદારો મોંઘવારી અને બેરોજગારીથી ત્રસ્ત છે.. તેમણે કહ્યું કે ભાજપના નેતાઓ ચૂંટાયા પછી ક્યારેય દેખાતા નથી. સાથે જ કહ્યું કે અગાઉની ચૂંટણીમાં આપેલા વચનો ભાજપે પૂરા કર્યા નથી
શક્તિસિંહ અને ગેનીબેનના ભાજપ પર પ્રહાર
ADVERTISEMENT
આ તરફ બનાસકાંઠાના હડાદમાં કોંગ્રેસની રેલી યોજાઈ હતી, જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને બનાસકાંઠા લોકસભા બેઠકના ઉેમદવાર ગેનીબેન ઠાકોરે ભાજપ પર પ્રહાર કર્યા હતા.શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે અમારા ધારાસભ્ય વેચાયા નથી..તેમણે કહ્યું કે બીજેપી એટલે કે બીજે જઈને પાણી પી. બીજી તરફ ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે આ ચૂંટણી આપણા હક અને અધિકાર માટે છે. .તેમણે કહ્યું કે બનાસ ડેરીમાં નોકરી લગાવવાના હોય ત્યારે આદિવાસી સમાજ યાદ આવતો નથીયગુજરાત વિધાનસભા અધ્યક્ષ જાહેર સભા સંબોધે છે, ભાષણ કરતા વીડિયો વાયરલ થાય છતાં પણ કોઈ પગલા નથી લેવાતા.
પ્રતાપ દૂધાતે કહ્યું સુરતનો બદલો લેવાનો સમય પાકી ગયો છે
આ તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે ભાજપ પર આકરા પ્રહાર કર્યા.. તેમણે કહ્યું કે સુરતમાં લોકતંત્રનું ચિરહરણ કરાયું છે.. એટલે સુરતમાં રહેતા અમરેલીના લોકો જ્યારે મતદાન કરવા અમરેલી આવો ત્યારે આવનારી પેઢીનું વિચારીને મત આપજો. તેમણે કહ્યું કે સુરતનો બદલો લેવાનો સમય પાકી ગયો છે. તેમણે કહ્યું કે અમરેલીમાં ભાજપ આ વખતે હારી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT