બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / Congress leader Bharat Singh Solanki's statement said that if the Aam Aadmi Party supports us, we are ready to support it
Dinesh
Last Updated: 11:28 PM, 2 November 2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને રાજકીય પક્ષોની ગતિવિધીઓ તેજ થઈ છે. ચૂંટણી જાહેરાતની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ત્રણય પક્ષો રાજકીય દંગલ ખેલી રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણય પાર્ટીઓએ કમર કસી રહ્યાં છે. રાજકીય પક્ષોની ગતિવિધી તેજ થઈ છે અને ચૂંટણી જીતવી તમામ પ્રયાસો પણ હાથ ધરી દીધા છે. બેઠકોથી લઈ જનસભાઓની ધમધમાટની ધૂંણી પણ ધપાવી રહ્યાં છે. આ બધાની વચ્ચે રાધનપુરમાં કોંગ્રેસની એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરતસિંહ સોલંકીએ મોટું નિવેદન સામે આવ્યું છે. જે સભાના મંચ પરથી આમ આદમી પાર્ટી સાથે મિત્રતાનો હાથ લંબાવ્યો છે.
કોંગ્રેસે લંબાવ્યો મિત્રતાનો હાથ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવે છે તેમ તેમ જાણે કોંગ્રેસમાં ડર વધી રહ્યો હોય તેવું વર્તમાનમાં તો જણાઈ રહ્યું છે. વર્તમાનમાં એવું વર્તાઈ રહ્યું છે કે, કોંગ્રેસને ડર છે તે આમ આદમી પાર્ટી કરતા પણ કમજોર છે અને તે આ ચૂંટણીમાં વિપક્ષની ભૂમિકામાં કદાચ નહીં હોય તેમ આમ આદમી પાર્ટી પાસે ટેકા માટે અત્યારથી જ હાથ મિત્રતતાનો હાથ લંબાવ્યો છે. કોંગ્રેસની રાધનપુર ખાતે પહોંચેલી પરિવર્તન યાત્રામાં કોંગ્રેસના અગ્રણી નેતા ભરત સિંહ સોલંકીનું મોટું નિવેદન સામે આવ્યું છે. આમ આદમી પાર્ટી અમને ટેકો આપે તો અમે ટેકો લેવા તૈયાર તેમ ભરત સોલંકીએ જણાવ્યું છે. રાધનપુરમાં કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રામાં ભરતસિંહ આ નિવેદન આપ્યું છે.
અલ્પેશ ઠાકોરના ગઢમાં પડ્યું ગાબડું
રાધનપુરમાં કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ થઈ છે જ્યાં પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહની અધ્યક્ષતામાં સભાનું યોજાઈ હતી. રાધનપુર સભામાં અલ્પેશ ઠાકોરના ગઢમાં ગાબડું પડ્યું છે. ઠાકોર સેનાનાં કાર્યકરો અને હોદ્દેદારોએ અલ્પેશથી છેડો ફાડી ભાજપમાં જોડાયા છે. ભાજપના કાર્યકરો અને અલ્પેશ ઠાકોર જૂથ લોકો અલ્પેશથી છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime