બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Priyakant
Last Updated: 02:07 PM, 2 May 2023
માફિયા અતીક અહેમદ અને અશરફની હત્યા બાદ પહેલીવાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રયાગરાજ પહોંચ્યા હતા. જ્યાં યોગી આદિત્યનાથે રેલીને સંબોધિત કરતા કહ્યું કે, કેટલાક લોકોએ પ્રયાગરાજને અન્યાય અને અત્યાચારનું શિખર બનાવી દીધું હતું. જોકે આ ધરતી દરેકનો હિસાબ સરખો રાખે છે. સીએમ યોગીની રેલી એ જ ચાકિયા વિસ્તારમાં યોજાઈ રહી છે, જે એક સમયે અતીકનો ગઢ હતો. અતીકનું ઘર અને ઓફિસ પણ અહીં છે.
ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, 'પ્રયાગરાજ તેની આધ્યાત્મિકતા અને ન્યાયની ભૂમિ તરીકે ઓળખાય છે. તુલસીદાસે કહ્યું હતું કે, કર્મ પ્રમાણે ફળ મળે છે, પ્રયાગરાજ જ્યાં ન્યાય મળે છે, કેટલાક લોકોએ તેને અન્યાય અને અત્યાચારનો શિકાર બનાવ્યો હતો, આ પ્રકૃતિ દરેકનો હિસાબ લે છે.
आज प्रदेश में कर्फ्यू नहीं, दंगा नहीं, उत्तर प्रदेश में सब ओर चंगा ही चंगा है, क्योंकि सरकार की कार्रवाई 'जीरो टॉलरेंस' नीति पर है... pic.twitter.com/JedVNBY4ph
— Yogi Adityanath (@myogiadityanath) May 2, 2023
રામચરિતમાનસની ચોપાઈનો કર્યો ઉલ્લેખ
રામચરિતમાનસની ચોપાઈનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, 'આ પ્રકૃતિ ન તો ત્રાસ આપે છે અને ન તો ત્રાસ સહન કરે છે. પ્રયાગરાજની ધરતી ક્યારેય કોઈને નિરાશ કરતી નથી. અમે સૌના વિકાસના નામે સૌને સાથે રાખીને કામ કર્યું પરંતુ ક્યારેય તુષ્ટિકરણને પ્રોત્સાહન આપ્યું નથી. આપણે 2017 પહેલા ઉત્તર પ્રદેશ પણ જોયું છે, આજે ઉત્તર પ્રદેશમાં બધું બરાબર છે.
#WATCH | "...Prakriti na kisi par atyachaar karti hai, na kisi ke atyachaar ko swikaar karti hai. Sabka hisab barabar karke rakh deti hai," says UP CM Yogi Adityanath in Parayagraj pic.twitter.com/4WB6GTGjxM
— ANI (@ANI) May 2, 2023
પહેલા લોકો ગરીબોની જમીન કબજે કરવા........
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, પહેલા લોકો ગરીબોની જમીન કબજે કરવા માટે આતંકનો ઉપયોગ કરતા હતા. પહેલા વેપારીઓ પાસેથી ખંડણી વસૂલવામાં આવતી હતી, આજે યુવાનોના હાથમાં પિસ્તોલ નથી કારણ કે તેમને ખબર પડી ગઈ છે કે તેમના હાથમાં પિસ્તોલ રાખવાનું શું પરિણામ આવે છે ? આજે તેના હાથમાં ટેબ્લેટ છે, જેઓ પિસ્તોલ રાખતા હતા તેમની હાલત આખું રાજ્ય જોઈ રહ્યું છે.
Prayagraj, UP | Today our cities are becoming safe. The youth today do not have pistols in their hands because they know the bad effects of it. They have a tablet in their hands and this tablet will connect their talent with technology: Uttar Pradesh CM Yogi Adityanath pic.twitter.com/tyYM9bX3cv
— ANI (@ANI) May 2, 2023
બીજેપી ઉમેદવારો માટે વોટ માંગ્યા
બીજેપી ઉમેદવારો માટે વોટ માગતા સીએમ યોગી આદિત્યનાથે કહ્યું, જે માફિયા ગરીબોની જમીન પર અતિક્રમણ કરશે, તેની જમીન પર પણ ગરીબો માટે ઘર બનાવવામાં આવશે. અમે અહીં ગરીબો માટે માફિયાઓની મિલકતો પર મકાનો બનાવ્યા છે, જેનું ઉદ્ઘાટન આવતા મહિને થશે નોંધપાત્ર વાત એ છે કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા બાદ પ્રથમ વાર પ્રયાગરાજ પહોંચ્યા હતા. અહીં આવતા પહેલા સીએમ યોગીએ કહ્યું હતું કે, યુપીમાં માફિયા નહીં ચાલે, અતીક અશરફને ખતમ કરી દેવામાં આવ્યો છે અને મુખ્તાર જેલ જવાનો રસ્તો બનાવી ચૂક્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime