બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / clotting from covid shots is rare but potentially devastating new england journal of medicine study
ADVERTISEMENT
ઓક્સફર્ડ એસ્ટ્રાજેનેકાની કોરોના રોધક વેક્સિનના કારણે લોહીમાં ગટ્ઠા જામવાના કેસ વધી રહ્યા હતા પણ તે હવે વધારે ઘાતક બની શકે છે. અધ્યયનમાં વૈજ્ઞાનિકોએ આ વાતની પુષ્ટિ કરી છે. ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત અધ્યયનમાં વેક્સિનેશન બાદ ઈમ્યૂન થ્રોમ્બોસાઈટોપેનિયા થ્રોમ્બોસિસના પહેલા 2020 કેસનો સ્ટડી કરાયો. તેમાં જાણવા મળ્યું કે વીઆઈટીટીના કેસમાં મૃત્યુદર 22 ટકા છે.
.jpg)
ADVERTISEMENT
ખૂબ જ ઓછા કેસમાં જોવા મળે છે ક્લોટિંગ
પ્લેટલેટ્સ ઓછા હોવા અને લોહીના ગટ્ઠા જામવાના કારણે મોતની શંકા વધે છે. જ્યારે ખૂબ જ ઓછા પ્લેટલેટ અને લોહીના ગટ્ઠા બને છે ત્યારે રક્ત સ્ત્રાવથી આ આશંકા 73 ટકા વધી જાય છે. ડો. પવોર્ડે કહ્યું કે આ વાત પર ભાર આપવો જરૂરી છે કે ઓક્સફર્ડ એસ્ટ્રાજેનેકા વેક્સિનને પ્રતિ આ પ્રકારની પ્રતિક્રિયા દુર્લભ છે. તેઓએ કહ્યું કે 50 વર્ષથી ઉપરની ઉંમરની સ્થિતિમાં વેક્સિન લઈ ચૂકેલા લોકોમાં એકથી વધારે કેસ આવી શકે છે. પણ અધ્યયનમાં જોવા મળ્યું કે વીઆઈટીટી વિકસિત થતાં તે ખતરનાક બને છે. યુવાઓ અને સ્વસ્થ લોકોમાં તેની આશંકા ઓછી રહે છે અને સાથે મૃત્યુદર પણ વધારે રહે છે. વિશેષ કરીને ઓછા પ્લેટલેટ અને મસ્તિષ્કમાં લોહીનો સ્ત્રાવ થવાનું ઘાતક બની શકે છે.

ADVERTISEMENT
વેક્સિનનું ભારતમાં કોવિશિલ્ડ નામથી થઈ રહ્યું છે ઉત્પાદન
વીઆઈટીટી થ્રોમ્બોટિક સિન્ડ્રોમ છે જેનું જોડાણ કોરોના રોધી વેક્સિનેશન છે. ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલયની વેક્સિન ભારતમાં કોવિશિલ્ડના નામથી બની રહી છે. લોહી રોગ વિશેષજ્ઞ પર સમિતિએ કહ્યું કે છેલ્લા 4 અઠવાડિયાથી વીઆઈટીટીનો કોઈ કેસ સામે આવ્યો નથી. તેનાથી સંકેત મળે છે કે 40 વર્ષથી ઓછી ઉંમરના લોકોને એક વૈકલ્પિક વેક્સિન આપવાના સંબંધમાં બ્રિટનની સંયુક્ત સમિતિના નિર્ણયે ખાસ ભૂમિકા અદા કરી છે. ડો. પવોર્ડે કહ્યું કે વીઆઈટીટી નવો સિન્ડ્રોમ છે અને તેના પ્રભાવ ઉપચાર માટે હજુ પણ કામ કરી રહ્યા છે. અધ્યયનથી કારગર સારવારમાં મદદ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.