ચૌધરી સમાજ વિશે ટિપ્પણી મામલે સમાજના આગેવાનો અને સી.આર.પાટીલ વચ્ચે બેઠક, આ બેઠકમાં સી.આર પાટીલે ચૌધરી સમાજના આગેવાનો સાથે આગેવાનો સાથે અશોભનીય વર્તન કર્યુ હોવાનો આક્ષેપ
વડગામમાં 5 સપ્ટેમ્બરે આંજણા મહાસભાનું આયોજન
ચૌધરી સમાજના આગેવાનો રહેશે હાજર
ભાજપની સભામાં જતા આગેવાનોને અટકાવાશે
વડગામ ભાજપ તાલુકા પ્રમુખના નિવેદનનો વિવાદ વધુ વકર્યો છે. ચૌધરી સમાજ વિશે ટિપ્પણી મામલે સમાજના આગેવાનો અને સી.આર.પાટીલ વચ્ચે બેઠક યોજાઈ હતી. પરંતુ આ બેઠકમાં સી.આર પાટીલે ચૌધરી સમાજના આગેવાનો સાથે આગેવાનો સાથે અશોભનીય વર્તન કર્યુ હોવાનો આક્ષેપ છે. સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અને ચૌધરી સમાજના આગેવાન ભેમાભાઈ ચૌધરીએ ખુલાસો કર્યો છે.
ભેમાભાઈ ચૌધરીએ કહ્યું કે, સી.આર.પાટીલે ચૌધરી સમાજની માફી માગવી જોઈએ. આ મામલે 5 સપ્ટેમ્બરે વડગામ ખાતે આંજણા મહાસભાનું આયોજન કરાયું છે. જેમાં વડગામ ગોળ ઝલાના પ્રમુખ-મંત્રીઓ હાજર રહેશે. ચૌધરી સમાજ વડગામ ભાજપના કાર્યક્રમોનો બહિષ્કાર કરશે. ભાજપની સભામાં જતા સમાજના આગેવાનોને પણ અટકાવશે. રાજકીય કિન્નાખોરીથી TDOની બદલી કરવામાં આવી હોવાનો આક્ષેપ પણ લાગ્યો છે.
શું છે કે.કે ચૌધરીની બદલીનો મામલો
વડગામના TDO કે.કે.ચૌધરીની બદલીમાં ભાજપ નેતાનો હાથ હોવાનો આક્ષેપ થયો હતો. પૂર્વ TDO એ.એસ.પરમાર અને વડગામ ભાજપના પ્રવિણસિંહ રાણા વચ્ચેની વાતચીતનો એક ઓડિયો વાયરલ થયો હતો. જેમાં ભાજપ પ્રમુખ દાવો કરી રહ્યાં હતા કે, તેમને જ TDOની બદલી કરાવી હતી. પ્રવિણસિંહ રાણાએ પૂર્વ TDO સાથે વાતચીતમાં બદલી કરાવી હોવાની કબૂલાત કરી હતી. પૂર્વ TDOને પ્રવિણસિંહે કહ્યું, સોનાનો સિક્કો સોમનાથ મોકલ્યો છે. આ ઓડિયો સામે આવ્યાના 8 દિવસ પહેલા જ વડગામના TDO કે.કે.ચૌધરીની બદલી કરાઇ હતી. TDOએ ભાજપ પ્રમુખના ગામમાં બાંધકામ મુદ્દે કાર્યવાહી કરી હતી. કાર્યવાહી બદલી કરાવી હોવાની જે તે સમયે ચર્ચા ઉઠી હતી.