બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Chamomile tea relieves stomach problems and strengthens the digestive system
Pooja Khunti
Last Updated: 08:12 AM, 27 February 2024
જે લોકોને જમ્યા પછી પાચનને લઈને સમસ્યા થતી હોય તેણે દવાઓ પીવી પડે છે. પરંતુ તમે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે હર્બલ ટીનું સેવન પણ કરી શકો છો. આ ચાનાં સેવનથી પેટને લગતી સમસ્યાઓ દૂર થશે. જેમકે ગેસ, કબજિયાત, અપચો વગેરે. આ સાથે શરીરનું વજન પણ ઓછું થઈ જશે. જાણો આ હર્બલ ટી વિશે.
જીરાની ચા
જો તમને જમ્યા પછી પાચનને લઈને કોઈ સમસ્યા હોય તો તમારે જીરાની ચાનું સેવન કરવું જોઈએ. આ ચામાં કાર્મિનેટીવ અને એન્ટિસ્પેસ્મોડિક જેવા ગુણો હોય છે. આ ચા બનાવવા માટે સૌથી પહેલા જીરાને શેકી લો. હવે આ જીરાને પીસી એક કપ પાણીમાં ઉમેરો. હવે તેમાં લીંબુનો રસ ઉમેરી તેનું સેવન કરો.
કેમોલી ચા
આ ચામાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે. જે સ્નાયુઓને આરામ આપે છે. કેમોલી ચા પેટને લગતી સમસ્યાઓને દૂર કરે છે અને પાચન તંત્રને મજબૂત કરે છે. આ પેટના જ્ઞાનતંતુઓને શાંત કરવામાં પણ મદદરૂપ થાય છે. આ ચા બનાવવા માટે કેમોલી ટી બેગને એક કપ પાણીમાં ઉમેરી તેનું સેવન કરો.
વરિયાળીની ચા
જમ્યા પછી પેટમાં થતી સમસ્યાને દૂર કરવા માટે તમે વરિયાળીની ચાનું સેવન કરી શકો છો. આ ચા ગેસ અને સોજો ઓછું કરવાનું કામ કરે છે. આ ચાને બનાવવા માટે એક કપમાં એક ચમચી વરિયાળી ઉમેરી તેને ઉકાળી લો. હવે તેનું સેવન કરો.
વાંચવા જેવું: રોજ સવારે ઉઠીને આ પાણી પીવાના છે અનેક ફાયદા, દૂર થશે શ્વાસ સંબંધિત મુશ્કેલીથી લઇને અનેક સમસ્યા
આદુંની ચા
પાચનને લગતી કોઈ પણ સમસ્યા માટે આદુંની ચા ફાયદાકારક સાબિત થાય છે. આ ચા પાચન શક્તિને મજબૂત કરે છે. આ ચા બનાવવા માટે થોડું આદું લો. આ આદુંને છીણી લો. હવે તેને 10-15 મિનિટ માટે ઉકાળો. હવે તમે આ ચામાં મધ અને લીંબુ ઉમેરી તેનું સેવન કરી શકો છો.
ફુદીનાની ચા
ફુદીનાની ચાનું સેવન કરવાથી પેટના સ્નાયુઓ મજબૂત બને છે. પાચનને લગતી કોઈ પણ સમસ્યા માટે આ ચા ફાયદાકારક છે. ફુદીનાની ચા બનાવવા માટે એક કપ પાણીમાં ફુદીનાનાં પાનને ઉકાળી લો. હવે તેમાં લીંબુ મિક્સ કરી તેનું સેવન કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime