ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Chamomile tea relieves stomach problems and strengthens the digestive system
Last Updated: 08:12 AM, 27 February 2024
ADVERTISEMENT
જે લોકોને જમ્યા પછી પાચનને લઈને સમસ્યા થતી હોય તેણે દવાઓ પીવી પડે છે. પરંતુ તમે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે હર્બલ ટીનું સેવન પણ કરી શકો છો. આ ચાનાં સેવનથી પેટને લગતી સમસ્યાઓ દૂર થશે. જેમકે ગેસ, કબજિયાત, અપચો વગેરે. આ સાથે શરીરનું વજન પણ ઓછું થઈ જશે. જાણો આ હર્બલ ટી વિશે.
ADVERTISEMENT

જીરાની ચા
જો તમને જમ્યા પછી પાચનને લઈને કોઈ સમસ્યા હોય તો તમારે જીરાની ચાનું સેવન કરવું જોઈએ. આ ચામાં કાર્મિનેટીવ અને એન્ટિસ્પેસ્મોડિક જેવા ગુણો હોય છે. આ ચા બનાવવા માટે સૌથી પહેલા જીરાને શેકી લો. હવે આ જીરાને પીસી એક કપ પાણીમાં ઉમેરો. હવે તેમાં લીંબુનો રસ ઉમેરી તેનું સેવન કરો.
ADVERTISEMENT
કેમોલી ચા
આ ચામાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે. જે સ્નાયુઓને આરામ આપે છે. કેમોલી ચા પેટને લગતી સમસ્યાઓને દૂર કરે છે અને પાચન તંત્રને મજબૂત કરે છે. આ પેટના જ્ઞાનતંતુઓને શાંત કરવામાં પણ મદદરૂપ થાય છે. આ ચા બનાવવા માટે કેમોલી ટી બેગને એક કપ પાણીમાં ઉમેરી તેનું સેવન કરો.

ADVERTISEMENT
વરિયાળીની ચા
જમ્યા પછી પેટમાં થતી સમસ્યાને દૂર કરવા માટે તમે વરિયાળીની ચાનું સેવન કરી શકો છો. આ ચા ગેસ અને સોજો ઓછું કરવાનું કામ કરે છે. આ ચાને બનાવવા માટે એક કપમાં એક ચમચી વરિયાળી ઉમેરી તેને ઉકાળી લો. હવે તેનું સેવન કરો.
વાંચવા જેવું: રોજ સવારે ઉઠીને આ પાણી પીવાના છે અનેક ફાયદા, દૂર થશે શ્વાસ સંબંધિત મુશ્કેલીથી લઇને અનેક સમસ્યા
ADVERTISEMENT

આદુંની ચા
પાચનને લગતી કોઈ પણ સમસ્યા માટે આદુંની ચા ફાયદાકારક સાબિત થાય છે. આ ચા પાચન શક્તિને મજબૂત કરે છે. આ ચા બનાવવા માટે થોડું આદું લો. આ આદુંને છીણી લો. હવે તેને 10-15 મિનિટ માટે ઉકાળો. હવે તમે આ ચામાં મધ અને લીંબુ ઉમેરી તેનું સેવન કરી શકો છો.
ADVERTISEMENT
ફુદીનાની ચા
ફુદીનાની ચાનું સેવન કરવાથી પેટના સ્નાયુઓ મજબૂત બને છે. પાચનને લગતી કોઈ પણ સમસ્યા માટે આ ચા ફાયદાકારક છે. ફુદીનાની ચા બનાવવા માટે એક કપ પાણીમાં ફુદીનાનાં પાનને ઉકાળી લો. હવે તેમાં લીંબુ મિક્સ કરી તેનું સેવન કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો