બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
Arohi
Last Updated: 08:35 AM, 23 April 2024
23 એપ્રિલ એટલે કે આજે ચૈત્રી પુનમ છે. ચૈત્ર માસમાં આવનાર પૂનમને ચૈત્રી પૂનમ કહેવામાં આવે છે. આ પૂનમને ચૈત્રી પૂનમના નામથી પણ ઓળવામાં આવે છે. આ હિંદૂ વર્ષનો પહેલો મહિનો છે. આ દિવસે વિષ્ણુ ભગવાન અને સત્ય નારાયણની પૂજાની સાથે હનુમાન જયંતી પણ ઉજવવામાં આવે છે. આજના દિવસે સ્નાન-દાનનું ખાસ મહત્વ છે.
ચૈત્રી પૂનમ પર સ્નાન-દાનનું શુભ મુહૂર્ત
ચૈત્રી પૂનમ પર અભિજીત મુહૂર્ત સવારે 11.53 વાગ્યાથી બપોરે 12.46 વાગ્યાનું છે. આ સમય દરમિયાન કરવામાં આવતી પૂજા શુભ માનવામાં આવે છે. આજના દિવસે સ્નાન-દાનનો શુભ સમય સવારે 4.52 વાગ્યાથી 6.05 મિનિટનો હતો. ત્યાં જ આજે ચંદ્રમાની પૂજાનો સમય સાંજે 6.52 મિનિટ પર છે.
આજના દિવસે અભિજીત મુહૂર્તમાં દાન-પુણ્યનું કામ કરવામાં આવે છે. ચૈત્રી પૂનમની રાત્રે ચંદ્રમાની પૂજા કરવામાં આવે છે અને તેમને અર્ધ્ય આપવામાં આવે છે.
ચૈત્રી પૂર્ણિમા પર સ્નાન-દાનનું મહત્વ
ચૈત્રી પૂર્ણિમાનુ વ્રત કરવાથી શરીર અને મન શાંત રહે છે. આ વ્રતને કરવાથી ઘરમાં સમૃદ્ધિ અને ખુશી આવે છે. આ દિવસે સ્નાન-દાનથી પુણ્ય ફળોની પ્રાપ્તિ થાય છે. આજના દિવસે સ્નાન-દાન કરવાથી ભગવાન વિષ્ણુનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
આજના દિવસે દૂધ, દહીં, શંખ વગેરેનું દાન કરવાથી ચંદ્ર દેવ પ્રસન્ન થાય છે. ચૈત્રી પૂર્ણિમા પર સફેદ વસ્ત્રનું દાન કરવાથી કુંડળીના ચંદ્ર દોષ દૂર થશે. આજના દિવસે ચંદ્રમાની પૂજામાં સફેદ ફૂલોનો ઉપયોગ કરો અને તેને દાન કરો.
ચૈત્રી પૂનમની પૂજા વિધિ
ચૈત્રી પૂનમના દિવસે સૂર્યોદય પહેલા કોઈ પવિત્ર નદી, જળાશય, કુવા કે વાવમાં સ્નાન કરવું જોઈએ. જો તે સંભવ ન હોય તો ઘરમાં ગંગાજળ મિક્સ કરીને તે પાણીથી સ્નાન કરો. સ્નાન કર્યા બાદ સૂર્ય મંત્રનો ઉચ્ચાર કરતા સૂર્ય દેવને અર્ધ્ય આપવું જોઈએ. વ્રતનો સંકલ્પ લઈને ભગવાન સત્ય નારાયણની પૂજા કરો. રાત્રે વિધિ વિધાનથી ચંદ્ર દેવની પૂજા કરવી જોઈએ. તેના બાદ તેમને જળ અર્પિત કરવું જોઈએ.
વધુ વાંચો: હનુમાન જયંતી પર કરો સિંદૂર સાથે જોડાયેલા આ ઉપાય, શનિ અને દુર્ઘટનાના ભયથી મળશે મુક્તિ
પૂજન બાદ કાચ્ચા અન્નથી ભરેલો ઘડો કોઈ જરૂરીયાતમંદ વ્યક્તિને દાનમાં આપો. પૂર્ણિમાના દિવસે તુલસીના પાન તોડવાની ભૂલ ન કરો. તુલસીના પાન ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. પરંતુ આ દિવસે તુલસીના પાન તોડવા અશુભ માનવામાં આવે છે. તેનાથી ભગવાન વિષ્ણુની કૃપા નહીં મળે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા