બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સૂર્યકુમાર યાદવનું અડાલજની વાવમાં વર્લ્ડકપ ટ્રોફી સાથે ફોટોશૂટ, લાગ્યાં ઈન્ડિયા, ઈન્ડિયાના નારા

T20 World Cup / સૂર્યકુમાર યાદવનું અડાલજની વાવમાં વર્લ્ડકપ ટ્રોફી સાથે ફોટોશૂટ, લાગ્યાં ઈન્ડિયા, ઈન્ડિયાના નારા

Vishal Khamar

Last Updated: 07:46 PM, 9 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલ ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલ ફાઈનલ મેચમાં ભારતે શાનદાર જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવ્યું હતું. આજે કેપ્ટન સૂર્યકુમાર યાદવ અડાલજની વાવની મુલાકાતે પહોંચ્યો હતો. તેમજ વર્લ્ડકપ ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવ્યું હતું.

ભારતીય ક્રિકેટ ટીમે ફરી એક વખત ઇતિહાસ રચ્યો છે. સતત બીજી વખત ICC Men's T20 World Cupનું ખિતાબ જીતવામાં સફળ રહી છે. ફાઈનલ મુકાબલામાં ભારતે ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવીને વિશ્વ ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું. જીત બાદ ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ આજે અડાલજની વાવની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે વર્લ્ડકપ ટ્રોફી સાથે ખાસ ફોટોશૂટ કરાવ્યું. ક્રિકેટરોને જોવા માટે સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. આ ક્ષણો ક્રિકેટ પ્રેમીઓ માટે ગર્વ અને ઉજવણીનો વિષય બની છે.

ગાંધીનગરની પ્રસિદ્ધ ઐતિહાસિક સ્થળ અડાલજની વાવ ખાતે આજે ખાસ ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો. ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર અને કેપ્ટન સુર્યકુમાર યાદવ અડાલજની વાવની મુલાકાત લેવા પહોંચતા ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. ક્રિકેટરને નજીકથી જોવા માટે મોટી સંખ્યામાં લોકો અડાલજ ખાતે ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકો અને પ્રવાસીઓએ પણ તેમની સાથે ફોટા પડાવ્યા અને તેમને આવકાર્યા હતા. ઐતિહાસિક વાવમાં ક્રિકેટરના આગમનથી આખું પરિસર ઉત્સાહ અને આનંદના માહોલથી ગુંજી ઉઠ્યું હતું.

વિદેશી મહેમાનોએ અડાલજની વાવ નિહાળી

મળતી માહિતી મુજબ ભારતીય ટીમના ખેલાડીઓ સાથે ન્યુઝીલેન્ડની ટીમના પણ કેટલાક વિદેશી મહેમાનો અડાલજની વાવ નિહાળવા માટે પહોંચ્યા હતા. વિશ્વપ્રસિદ્ધ ઐતિહાસિક સ્થળના વારસા વિશે માહિતી પણ મેળવી હતી.

સૂર્યકુમાર યાદવના આગમનને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ક્રિકેટ ચાહકો પોતાના પ્રિય ખેલાડીઓને જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. અડાલજની વાવ ગુજરાતના મહત્વપૂર્ણ હેરિટેજ સ્થળોમાંથી એક ગણાય છે, જ્યાં દેશ-વિદેશના પ્રવાસીઓ મોટી સંખ્યામાં મુલાકાત લેતા હોય છે. આજે ક્રિકેટરોની મુલાકાતને કારણે અહીં ખાસ ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું.

આ પણ વાંચોઃ ગુજરાતમાં કેટલા બાળકો ગુમ થયા? કોંગ્રેસ ધારાસભ્યના સવાલ પર સરકારનો જવાબ

સૂર્યકુમાર યાદવે શું કહ્યું.

ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ ભાવુક પ્રતિક્રિયા આપતાં કહ્યું કે આ ઐતિહાસિક ક્ષણને સમજવામાં તેમને થોડો સમય લાગશે. તેમણે જણાવ્યું કે ટીમની આ સિદ્ધિ લાંબી મહેનત અને સંઘર્ષનું પરિણામ છે. 2024 પછી BCCI અને તે સમયના સેક્રેટરી જય શાહે તેમના પર વિશ્વાસ મૂક્યો હતો. જે તેમની માટે મોટી પ્રેરણા બની. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટ્રોફી જીતવાની ક્ષણ ખાસ અને યાદગાર હોવાનું તેમણે જણાવ્યું, અને આ જીત સમગ્ર ટીમ તથા દેશના ચાહકોને સમર્પિત કરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

T20 World Cup Captain Suryakumar Yadav Ahmedabad Narendra Modi Stadium
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ