પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ટૂંક સમયમાં પોતાની પાર્ટી બનાવાની તૈયારીમાં છે તેવી સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે. 15 દિવસમાં તેઓ આ મુદ્દે મોટું એલાન કરી શકે છે.
પંજાબના પૂર્વ મુખ્યમંત્રીએ ટૂંક સમયમાં કરશે મોટું એલાન
કેપ્ટન અમરિંદર સિંહ 15 દિવસમાં તેમની પાર્ટી બનાવે તેવી શક્યતા
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદ સિંહ આવતા 15 દિવસમાં તેમની પાર્ટી બનાવાના છે. સૂત્રો દ્વારા તેવી માહિતી આવી છે કે જો ખેડૂતો મુદ્દે કેન્દ્ર સરકાર સાથે વાતચીતમાં કોઈ સમાધાન નિકાળી શક્યા તો તેમની પાર્ટી ચૂંટણી પણ લડશે. જોકે અમરિંદર સિંહ પાસે હજુ ભાજપમાં જવાનો વિકલ્પ પણ બચ્યો છે.
કોંગ્રેસ માટે હવે ચૂંટણી જીવતી મુશ્કેલ
કોંગ્રેસને એ વાતનો ડર છે કે કેપ્ટન રાષ્ટ્રીય સુરક્ષાને લઈને સિદ્ધુને ખતરો ગણાવીને એ મુદ્દાને ઉછાળશે. સાથેજ તેમની સાથે કોંગ્રેસના ઘણા સાંસદ તેમજ ધારાસભ્યો પણ જોડાઈ શકે છે. જેથી આવા સમયે કોંગ્રેસ માટે પંજાબમાં ચૂંટણી જીતવી ઘણી મુશ્કેલ રહેશે.
કોંગ્રેસ સિદ્ધુને હટાવી પણ નહી શકે
હાલ નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. જેથી કોંગ્રેસ નેતાઓ દ્વારા નવા પ્રદેશ અધ્યક્ષ બનાવાની માંગ કરવામાં આવી રહી છે. જાખડથી લઈને મનીષ તિવારી સુધી ઘણા નેતાઓના નામ લિસ્ટમાં શામેલછે. જોકે હાઈકમાન સિદ્ધુને હટાવાના પક્ષમાં નથી કારણકે તેમના આ નિર્ણયથી ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે.
સિદ્ધુ પાસે પણ કોંગ્રેસ સિવાય કોઈ વિકલ્પ નથી
આપને જણાવી દઈએ કે સિદ્ધુ પાસે હવે કોંગ્રેસ સિવાય કોઈ વિકલ્પ નથી બચ્યો. આણ આદમી પાર્ટી પણ હવે તેમને શામેલ કરીને કોઈ જોખમ લેવા નથી માગતી જેથી બીજી કોઈ પાર્ટી સિદ્ધુ જોડાય તેવી કોઈ શક્યતા નથી. તેમણે કોંગ્રેસમાં રહેવું પડશે. પરંતુ કેપ્ટન અમરિંદર સિંહ તેમના પર આકરા પ્રહારો કરતા જઈ રહ્યા છે.