બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Capt. Amarinder Singh made a big announcement. Capt. Amarinder Singh is keen to work with BJP

રાજકારણ / BIG BREAKING: કૃષિ કાયદા રદ્દ થતાં જ ભાજપને મળ્યા જોરદાર ગુડ ન્યૂઝ, 2022માં મોટી ઉથલપાથલનાં એંધાણ

Published By: Ronak

Last Updated: 12:24 PM, 19 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કૃષિ કયાદાઓ રદ થતાજ પંજાબના રાજકારણમાં મોટો ફેરફાર આવી ગયો છે. કારણકે પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહે જાહેરાત કરી દીધી છે કે તેઓ હવે ભાજપ સાથે કામ કરવા ઘણા ઉત્સુક છે.

  • કેપ્ટન અમરિંદરસિંહે કરી મોટી જાહેરાત 
  • કૃષિ કાયદા પરત ખેંચાતા કેપ્ટન એકદમ ખુશ 
  • ભાજપ સાથે કામ કરવા ઉત્સુક છે કેપ્ટન અમરિંદર સિંહ 

ત્રણેય કૃષિ કાયદાઓ રદ થયા બાદ હવે પંજાબના રાજકારણમાં જોરદાર ગરમાવો આવ્યો છે. પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદરે સિંહે કહ્યું કૃષિ કાયદા પરત ખેંચતા ખુશી વ્યક્ત કરી. સાથેજ તેમણે જાહેર કરી દીધું કે હવે તેઓ સાથે કામ કરવા માટે ઉત્સુક છે. કેપ્ટનના નિવેદન પણ એ સ્પષ્ટ થઈ ગયું છે કે હવે 2022માં ભાજપ અને કેપ્ટન એક સાથે પંજાબમાં ચૂંટણી લડવાના છે. 

કેપ્ટન અમરિન્દર સિંહે આભાર માન્યો હતો, કોંગ્રેસે કહ્યું- તૂટી ગયું અભિયાન 

કાયદો હટાવ્યા બાદ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પીએમ મોદીનો આભાર માન્યો હતો. તેણે ટ્વીટ કરીને કહ્યું, 'શાનદાર સમાચાર! ગુરુનાનક જયંતીના શુભ અવસર પર, દરેક પંજાબીની માંગણીઓ સ્વીકારવા અને 3 કાળા કાયદાને રદ કરવા બદલ PM નરેન્દ્ર મોદીજીનો આભાર. મને ખાતરી છે કે કેન્દ્ર સરકાર ખેડૂતોના વિકાસ માટે કામ કરતી રહેશે!

કોંગ્રેસે ખેડૂતોની જીત ગણાવી 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત બાદ કોંગ્રેસે સમગ્ર ઘટનાને ખેડૂતોની જીત ગણાવી હતી. કોંગ્રેસે ટ્વીટ કરીને કહ્યું કે, તૂટી ગયું અભિયાન, જીતી ગયા મારા દેશના ખેડૂત. તો કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ પણ સરકાર પર નિશાન શાધ્યું હતું અને કહ્યું કે, દેશના અન્નદાતાએ સત્યાગ્રહથી અહંકારનું માથું ઝૂકાવી દીધું. અન્યાય વિરૂદ્ધની આ જીત મુબારક હો! જય હિંદ, જય હિંદ કા કિસાન! 

આગામી સંસદ સત્રમાં કાયદા પરત લેવાની કરી જાહેરાત 

PM મોદીએ કહ્યું કે, આગામી સંસદ સત્રમાં જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર આ માટે એક સમિતિની રચના કરશે. તેમણે કહ્યું કે અમારા પ્રયાસો છતાં અમારી સરકાર ખેડૂતોના વિરોધને સમજી શકી નથી. હું દેશવાસીઓની માફી માંગુ છું કે અમારા પોતાના પ્રયાસોમાં થોડીક ઉણપ રહી હશે. પીએમએ વિરોધ કરી રહેલા ખેડૂતોને કહ્યું કે ગુરપુરબના અવસર પર તમે તમારા ઘર અને ખેતરમાં પાછા ફરો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે 'ખેડૂતોની સ્થિતિ સુધારવા માટેના મહાન અભિયાનમાં ત્રણ કૃષિ કાયદા લાવવામાં આવ્યા હતા. તેનો હેતુ એ હતો કે નાના ખેડૂતોને વધુ શક્તિ મળવી જોઈએ અને તેઓને તેમના ઉત્પાદનના યોગ્ય ભાવ મળવા જોઈએ. વર્ષોથી દેશના કૃષિ નિષ્ણાતો, સંગઠનો અને વૈજ્ઞાનિકો આ માંગ કરી રહ્યા હતા. ભૂતકાળમાં પણ ઘણી સરકારોએ મંથન કર્યું હતું. આ વખતે પણ સંસદમાં ચર્ચા થઈ. દેશના ખૂણે ખૂણે, વિવિધ ખેડૂત સંગઠનોએ સ્વાગત કર્યું અને ટેકો આપ્યો. આજે તેમના સમર્થન માટે હું તે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું.
 

સંકળાયેલા મુદ્દાઓ

BJP Captain Amrindar Singh farms laws repeal panjab politics કૃષિ કાયદા રદ કેપ્ટન અમરિન્દરસિંહ પંજાબ રાજકારણ ભાજપ Panjab Politics

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ