ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ભારતનું ટેક્સ ફ્રી રાજ્ય! લોકોને નથી ભરવો પડતો એક રૂપિયાનો પણ ઈન્કમ ટેક્સ

ITR / ભારતનું ટેક્સ ફ્રી રાજ્ય! લોકોને નથી ભરવો પડતો એક રૂપિયાનો પણ ઈન્કમ ટેક્સ

Last Updated: 06:12 PM, 29 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આયકર વિભાગે આઈટીઆર દાખલ કરવાની તારીખને 15 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. પણ શું તમને ખબર છે કે દેશમાં એક એવું રાજ્ય પણ છે, જ્યાંના લોકોને ઇન્કમ ટેક્સ ભરવો જ પડતો નથી. જાણો કયું છે તે રાજ્ય?

ADVERTISEMENT

આયકર વિભાગ તરફથી ઇન્કમ ટેક્સ રિટર્ન દાખલ કરવાની તારીખને આ વખતે વધારીને 15 સપ્ટેમ્બર કરી દેવામાં આવી છે. તારીખ નજીક આવી રહી છે. લોકો પોતાની કમાણીનો હિસાબ વિભાગને આપી રહ્યા છે. પરંતુ શું તમને ખબર છે કે ભારતમાં એક એવું પણ રાજ્ય છે, જ્યાં કમાણી પર જીરો ટેક્સ લાગે છે. જી હાં, સિક્કિમમાં કોઈ પણ વ્યક્તિને પોતાની કમાણી પર કોઈ ટેક્સ નથી ભરવો પડતો.

સિક્કિમ ભારતનું એકમાત્ર રાજ્ય છે, જ્યાં સંવિધાનના અનુચ્છેદ 371(F) અને ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 10(26AAA) હેઠળ મૂળ નિવાસીઓને આયકરમાં છૂટ આપવામાં આવી છે. જ્યારે 1975માં સિક્કિમ ભારતનો ભાગ બન્યો, ત્યારે તેના પોતાના વહીવટી અને કરના નિયમો હતાં. ભારત સરકારએ આ નિયમોને જાળવવાનું વચન આપ્યું, જેના માટે સંવિધાનમાં અનુચ્છેદ 371(F) ઉમેરવામાં આવ્યો.

it-free

આ આવક પર મળે છે છૂટ

આ અનુચ્છેદના કારણે સિક્કિમના મૂળ નિવાસીઓને આયકરમાં છૂટ મળી, જે આજ સુધી ચાલુ છે. કલમ 10(26AAA) અનુસાર, સિક્કિમના મૂળ નિવાસીઓની આવક જેમ કે પગાર, વ્યવસાય, શેરમાંથી લાભ, વ્યાજ અથવા રોકાણ પર કોઈ કર લાગતો નથી. આ વિશેષ જોગવાઈ સિક્કિમની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ઓળખ જાળવવા માટે બનાવવામાં આવી છે, જે તેને ભારતના અન્ય રાજ્યોથી અલગ બનાવે છે.

આ લોકોને નથી મળતી છૂટ

સિક્કિમમાં કમાણી પર ટેક્સ તો લાગતો નથી, પરંતુ તેના પણ કેટલાક નિયમો છે. અર્થાત્ ત્યાંના બધા લોકોને છૂટ મળતી નથી. જે લોકો 1961ના સિક્કિમ સબજેક્ટ રેગ્યુલેશનમાં નોંધાયેલા છે અને તે સમયે નોંધાયેલા લોકોના વંશજ છે, તેમને જ ટેક્સમાં છૂટ મળે છે. નવા લોકો કે બહારથી આવેલા લોકો આ છૂટના હકદાર નથી.

tax-free

અન્ય રાજ્યોમાં આવી કોઈ છૂટ છે?

સિક્કિમ ભારતનું એકમાત્ર રાજ્ય છે, જ્યાં આવક પર ટેક્સ નથી. જોકે, ઉત્તરપૂર્વની કેટલીક સહાયભરી યોજનાઓ અને વિકાસ જોગવાઈઓ છે, પરંતુ સીધી આવક કરથી મુક્તિ નથી.

વધુ વાંચો: કેન્દ્ર સરકારની પેન્શનરોને મોટી રાહત આપવાની તૈયારી! જાણો શું બદલાશે નિયમ

શું આગળ પણ આ છૂટ ચાલુ રહેશે?

અત્યાર સુધી ભારત સરકારે આ છૂટ જાળવી રાખી છે. ઘણીવાર ચર્ચાઓ થાય છે કે આ છૂટ દૂર કરવી જોઈએ, પરંતુ આ સિક્કિમની ખાસ ઓળખ અને સંસ્કૃતિ જાળવવાના ભાગરૂપે હજુ પણ ચાલુ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sikkim ITR Tax free state
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ