બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:35 PM, 16 February 2024
ADVERTISEMENT
હિંદુ ધર્મ અનુસાર મહા મહિનાની શુક્લ પક્ષની અગિયારસે જયા એકાદશી ઊજવવામાં આવે છે. આ વર્ષે 20 ફેબ્રુઆરી 2024ના રોજ જયા એકાદશીનું વ્રત રાખવામાં આવશે. ધાર્મિક માન્યતા અનુસાર જયા એકાદશીનું વ્રત કરવાથી અને ભગવાન વિષ્ણુની વિધિ અનુસાર પૂજા કરવામાં સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે તથા તમામ મનોકામના પૂર્ણ થાય છે. આ વર્ષે જયા એકાદશીના દિવસે અનેક શુભ યોગનું નિર્માણ થાય છે. 20 ફેબ્રુઆરીના રોજ જયા એકાદશીએ પ્રીતિ યોગ, આદ્રા નક્ષત્ર, આયુષ્માન યોગ સહિત અનેક શુભ યોગનું નિર્માણ થશે. બુધ ગ્રહ મકર રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં ગોચર કરશે. બુધ ગોચરથી કઈ રાશિના જાતકોને લાભ થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
મેષ- માનસિક તણાવથી છુટકાર મળશે. નોકરીમાં પ્રગતિ થશે, પૈતૃક સંપત્તિથી ધન લાભ થશે. પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. આરોગ્યમાં સુધારો થશે, પ્રેમ સંબંધોમાં મીઠાશ આવશે.
ADVERTISEMENT
વૃષભ- કરિઅરમાં નવી ઉપલબ્ધિ પ્રાપ્ત થશે. નાણાંકીય આવકના સ્ત્રોત વધશે, આર્તિક પરિસ્થિતિમાં સુધારો થશે. નોકરીમાં પ્રમોશન થવાની સંભાવના. ધન લાભ થશે.
સિંહ- મિત્રોની મદદથી કાર્યોમાં જે પણ અડચણ આવતી હશે, તે દૂર થશે. બિઝનેસમાં પ્રગતિ થવાના યોગનું નિર્માણ થશે. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓનો સપોર્ટ મળશે. કરિઅરમાં અપાર સફળતા પ્રાપ્ત થશે. પારિવારિક જીવનમાં ખુશીઓનું આગમન થશે.
ADVERTISEMENT
તુલા- પરિવારજનો સાથે ધાર્મિત સ્થળ પર ફરવા માટે જશો. આધ્યાત્મિક કાર્યોમાં રૂચિ વધશે, જીવનસાથી સહયોગ મળશે. પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે. સામાજિક પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે.
વધુ વાંચો: પૂજા દરમ્યાન અવશ્ય મા લક્ષ્મીજીના આ મંત્રોનો કરો જાપ, મળશે કરિયરમાં સફળતા
ADVERTISEMENT
ધન- નોકરિયાત વ્યક્તિઓ માટે સારો સમય છે. અગાઉ જે પણ રોકાણ કર્યું હશે તેમાં રિટર્ન મળશે. આવકમાં વૃદ્ધિ થવાની સંભાવના છે. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓનો સાથ પ્રાપ્ત થશે. બિઝનેસ વિસ્તારિત થવાની સંભાવના છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.