બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / ગુજરાત / રાજકોટ / આરોગ્ય / Brugada Syndrome Responsible for Sudden Heart Attacks, Greater Risk in Men Than Women, Know Here History
Vishal Khamar
Last Updated: 11:30 PM, 7 July 2023
રાજકોટમાં ગઈકાલે જ એક કિશોર હૃદય રોગના કારણે મૃત્યુ થયું હતું ત્યારે અચાનક એટેક આવવા પાછળ હોય છે બ્રુગાડા સિન્દ્રોમ જવાબદાર. અતિશય સ્ટ્રેસ, નબળું માનસિક સ્વાસ્થ્ય અને આવેગિક રીતે ઉત્તેજિત લોકોને વધુ અસર કરે છે. આ અંગે સંશોધન રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં આવેલા મનોવિજ્ઞાન ભવનમાં કરવામાં આવ્યું છે..
યુવાનોમાં તેમજ કિશોર વયની વ્યક્તિઓમાં હૃદય હુમલાઓ જોવા મળે છે
બદલાતા સમય સાથે હૃદય રોગના હુમલા એ સામાન્ય બનતા જાય છે. એક જે વૃદ્ધ વ્યક્તિઓમાં હૃદય હુમલાઓ જોવા મળતા એ હવે યુવાનો અને કિશોર વયની વ્યક્તિઓમાં પણ જોવા મળી રહ્યા છે 3 જુલાઈએ રાજકોટ નજીક એસજીવીપી ગુરુકુળમાં કિશોર ને આવેલા હાર્ટ એટેક તેમજ જૂનાગઢમાં 17 વર્ષીય વ્યક્તિને આવેલા હૃદય રોગની ઘટનાએ સૌ કોઈને ચોકાવી દીધા છે. ત્યારે રાજકોટના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ અને પ્રોફેસર દ્વારા ખાસ સંશોધન કરવામાં આવ્યું છે. જેમાં સામે આવ્યું છે કે યુવાનોમાં એકદમ સ્વસ્થ લોકોમાં કાર્ડિયાક અરેસ્ટ પાછળ બ્રુગાડા સિન્ડ્રોમનો મોટો હાથ છે. આ સિન્ડ્રોમના લક્ષણો ઘણી વખત ન તો દર્દી જાણી શકે કે ન ડૉક્ટર પકડી શકે છે. આ સિન્ડ્રોમ વિશે જાણવું જરૂરી એટલા માટે છે કે તેનાથી જાગૃત બની શકાય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ એ.જોગસણ અને અધ્યાપક ડૉ. ધારા આર.દોશી દ્વારા આ વિશે અહેવાલ તૈયાર કરવામાં આવ્યો.
બ્રુગાડા સિન્ડ્રોમ શું છે?
તાજેતરમાં જ ઘણા સ્વસ્થ લોકોના મોતના સમાચાર આવી રહ્યા છે. બ્રુગાડા સિન્ડ્રોમ આનું એક દુર્લભ કારણ છે. જેમાં હૃદયના વિદ્યુત આવેગમાં ખામી છે. આ કારણે હૃદયના ધબકારામાં ખલેલ પહોંચે છે. હૃદયના ધબકારા ઝડપી બને છે. બ્લડ પ્રેશરમાં ઘટાડો થાય છે. જેમાં દર્દીનો જીવ પણ જઈ શકે છે.
કોઈ વ્યક્તિ આ સિન્ડ્રોમથી પીડિત છે કે નહીં તેની ખાતરી કરવાનો રસ્તો ECG અથવા ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ
બ્રુગાડા સિન્ડ્રોમ એ હૃદયની એક દુર્લભ સ્થિતિ છે. જેમાં હૃદયથી મગજ સુધી સંદેશ સપ્લાયમાં અવરોધ આવવા લાગે છે. હૃદય કામ કરવાનું બંધ કરી દે છે. વ્યક્તિ બેભાન બને છે અને અંતે સ્થિતિ વધુ ખરાબ થાય છે. હૃદય ઘણા રોગોથી પીડાય છે. તેમાંથી, બ્રુગાડા સિન્ડ્રોમ તેમાંથી એક રોગ છે. આ સિન્ડ્રોમ જીવન માટે જોખમી હોઈ શકે છે અને દર્દીના હૃદયના લયને અસર કરે છે. સામાન્ય રીતે, બ્રુગાડા સિન્ડ્રોમ ચોક્કસ રીતે દર્દીઓમાં દેખાતો નથી તેના કેટલાક ચિહ્નો કે લક્ષણો વ્યક્તિમાં દેખાય છે જેમકે મૂર્છા, અસ્તવ્યસ્ત અથવા ખૂબ જ ઝડપી ધબકારાનો સમાવેશ થાય છે. કોઈ વ્યક્તિ આ સિન્ડ્રોમથી પીડિત છે કે નહીં તેની ખાતરી કરવાનો રસ્તો ECG અથવા ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ છે.
આ સિન્ડ્રોમ સ્ત્રીઓ કરતા પુરુષોમાં વધુ જોવા મળતો હોય છે
બ્રુગાડા નામનો આ સિન્ડ્રોમ જીવલેણ બની જતો હોય છે જો કે આ સિન્ડ્રોમ સ્ત્રીઓ કરતા પુરુષોમાં વધુ જોવા મળતો હોય છે. આ સિન્ડ્રોમની જાણ સહેલાઈથી નથી થતી. બ્રુગાડા સિન્ડ્રોમનું નિદાન ડૉક્ટરની માહિતી પર આધારિત છે. તેના લક્ષણો અલગથી જાણી શકાતા નથી. જો ડૉક્ટરને તેના વિશે પહેલેથી જ ખબર હોય, તો તે તેની તપાસ કરે છે. યુવાનોના અચાનક મૃત્યુનું કારણ શું હોઈ શકે જે હાર્ટ એટેકને કારણે ન હોય? એક કારણ બ્રુગાડા સિન્ડ્રોમ હોઈ શકે છે. આ રોગને શોધવા માટે એક સરળ પદ્ધતિ છે જેમાં ECG કરવામાં આવે છે. ઇસીજીમાં એક પેટર્ન છે જેને બ્રુગાડા પેટર્ન કહેવામાં આવે છે.
ECG રિપોર્ટ જોયા બાદ ખબર પડે છે કે આ સિન્ડ્રોમ વારસાગત છે કે નહીં
બ્રુગાડા એ આ સમસ્યા શોધનાર વૈજ્ઞાનિકનું નામ છે એટલા માટે જ આ સિંધવનું નામ પણ બ્રુગાડા સિન્ડ્રમ છે ECG રિપોર્ટ જોયા બાદ ખબર પડે છે કે આ સિન્ડ્રોમ વારસાગત છે કે નહીં. આ બૃગાડા સિન્ડ્રોમ મુખ્ય લક્ષણોમાં ચક્કર આવવા, વારંવાર બેભાન થઈ જવાની સમસ્યા હોય છે. ધબકારા અનિયમિત થતા હોય છે. પરિવારમાં આકસ્મિક મોત નીપજ્યું હોય અને તે સહન ન કરી શકતા હોય..શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે. ખૂબ તાવ હોય અને શ્વાસમાં તકલીફ થતી હોય છે. જોકે આ લક્ષણો બીજા રોગના પણ હોઈ શકે પરંતુ જ્યારે પણ આવા કોઈ લક્ષણો દેખાય છે ત્યારે તરત જ નજીકની હોસ્પિટલમાં ડોક્ટરને બતાવું હિતાવહ રહેતું હોય છે. આ ઉપરાંત હૃદય રોગના હુમલા પાછળ માનસિક તનાવ પણ ખૂબ જ જવાબદાર હોય છે લોકો પોતે ખુશ રહે અને પરિવારનું વાતાવરણ રાખે તેવું પણ મનોવિજ્ઞાન ના સ્વાધ્યાયપોથી કહેવું છે.
શારીરિક રીતે સ્વસ્થ દેખાતા લોકો માનસિક રીતે બીમાર પણ હોઈ શકે છે
હાલ બદલાતા સમય સાથે રહેણીકેણી પણ બદલાય છે હાલ ભૌતિક સુખ ચોક્કસ વધ્યું છે પરંતુ તેની સામે માનસિક સુખ નથી વધ્યું. લોકો ભૌતિક સુખ પાછળ એટલી દોટ લગાવી રહ્યા છે કે માનસિક સુખ ભુલાઈ ગયું છે. શારીરિક રીતે સ્વસ્થ દેખાતા લોકો માનસિક રીતે બીમાર પણ હોઈ શકે છે. વધુ પડતો તનાવ પણ એક ચિંતાનું કારણ બની રહ્યો છે. ત્યારે આ ચિંતા જ લોકોને ચીતા સુધી પહોંચાડી રહી છે. ત્યારે ખુશ રહેવું અને બીજાને ખુશ રાખવા તે જ બદલાતા સમયની માંગ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime