બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:37 PM, 22 October 2025
ભાઈબીજનો તહેવાર 23 ઓક્ટોબર 2025ના રોજ છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓને તિલક લગાવી, મીઠાઈ ખવડાવી તેમને નારિયેળ આપે છે. આ દરમિયાન બહેનો ભગવાન પાસે ભાઈના સુખ, સમૃદ્ધિ અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના પણ કરે છે. હિન્દૂ માન્યતા અનુસાર, આ દિવસે યમરાજે તેમની બહેન યમુનાના ઘરે જઈને તેમની મુલાકાત લીધી હતી, જ્યાં યમુનાએ તેમને તિલક લગાવીને તેમનું સન્માન કર્યું હતું. ત્યારથી આ પરંપરા ચાલુ છે. આ દિવસને ભાઈ અને બહેનના પવિત્ર સબંધનો દિવસ તરીકે માનાવવામાં આવે છે. એવામાં અમે તમને અમુક મંદિરો વિશે જણાવશું જ્યાં ભાઈઓ અને બહેનોએ સાથે મુલાકાત લેવી અને પૂજા કરવી જોઈએ.
ADVERTISEMENT

ADVERTISEMENT
ઉત્તર પ્રદેશના મથુરામાં આવેલું યમુના ધર્મરાજ મંદિર ભાઈ અને બહેનને સમર્પિત છે. મથુરાના વિશ્રામ ઘાટ પર આવેલું આ પ્રાચીન મંદિર યમરાજ અને તેમની બહેન યમુના માતાને સમર્પિત છે. યમુના અને યમરાજ ભગવાન સૂર્યના પુત્ર અને પુત્રી છે. એવી માન્યતા છે કે, જો ભાઈ અને બહેન યમુનામાં સાથે સ્નાન કરે છે અને મંદિરમાં જઈને દર્શન કરે તો તેમનો પ્રેમ અકબંધ રહે છે. અને સાથે જ દીર્ઘાયુનો આયુષ્યનો આશીર્વાદ મળે છે. આ મંદિરમાં રક્ષાબંધન અને ભાઈબીજ પર સૌથી વધુ ભીડ હોય છે
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.