બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ભાઈબીજ પર બહેન પોતાના ભાઈને નારિયેળ કેમ આપે છે? જાણો ધાર્મિક મહત્વ

Bhai Beej / ભાઈબીજ પર બહેન પોતાના ભાઈને નારિયેળ કેમ આપે છે? જાણો ધાર્મિક મહત્વ

Nirav Kumar

Last Updated: 06:02 PM, 22 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાઈબીજના દિવસે બહેનો તેમના ભાઈઓના કપાળ પર તિલક લગાવે છે અને તેમના લાંબા આયુષ્યની માટે પ્રાર્થના કરે છે. અને ઘણી જગ્યાએ બહેનો દ્વારા આ દરમિયાન ભાઈઓને નારિયેળ આપવાની પણ પરંપરા છે.

કાર્તિક મહિનાના શુક્લ પક્ષની બીજે ભાઈબીજ ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓના કપાળ પર તિલક લગાવે છે અને તેમના લાંબા આયુષ્યની માટે પ્રાર્થના કરે છે. આ દિવસે બહેનો ભક્તિ સાથે પૂજા કરે છે. તેઓ આ દિવસે ધાર્મિક કથા પણ સાંભળે છે. આ દરમિયાન તેઓ તેમના ભાઈઓને નારિયેળ પણ આપે છે, જેનું વિશેષ મહત્વ છે.  પરંતુ ભાઈબીજ પર બહેનો તેમના ભાઈઓને નારિયેળ કેમ આપે છે તે વિશે જાણીએ.

vtv app promotion
  • શું કહે છે કથા?
    ધાર્મિક માન્યતાઓ મુજબ, આ પરંપરા યમરાજ અને તેમની બહેન યમુનાથી આવી છે. એવું માનવામાં આવે છે કે યમરાજ એકવાર કાર્તિક મહિનાના શુક્લ પક્ષની બીજે તેમની બહેન યમુનાના ઘરે ગયા હતા. યમુનાએ તેના ભાઈ યમરાજને તિલક  લગાવ્યું હતું અને ભોજન કરાવ્યું હતું, અને ત્યાર બાદ તેમને નારિયેળ ભેટમાં આપ્યું. પછી યમરાજે વચન આપ્યું હતું કે જે કોઈ બહેન તેમના ભાઈને તિલક લગાવીને નારિયેળ આપશે તેમને લાંબુ આયુષ્ય મળશે અને સુખ - સમૃદ્ધિ પ્રાપ્ત થશે.

વધુ વાંચો : આખું વર્ષ રહે છે લક્ષ્મીજીની કૃપા, નથી રહેતી ધનની કમી, આ ત્રણ રાશિના જાતકો ભાગ્યશાળી

  • નારિયેળનું ધાર્મિક મહત્વ

નારિયેળને લક્ષ્મી માતાનું પ્રતીક માનવામાં આવે છે અને તેને શ્રીફળ પણ કહેવામાં આવે છે, જે શુભતા, પવિત્રતા અને સમૃદ્ધિનું કારક મનાય છે. શુભ પ્રસંગોમાં નારિયેળનું વિશેષ મહત્વ જોવા મળે છે. બહેનો ભાઈબીજે તેમના ભાઈઓને સુખ, સમૃદ્ધિ અને લાંબા આયુષ્યના આશીર્વાદ આપવા માટે નારિયેળ આપે છે. એવું કહેવાય છે કે યમુનાએ યમરાજને નારિયેળ એટલા માટે આપ્યું હતું જેથી તે હંમેશા તે યાદ રહે. જેને પ્રેમ અને જોડાણનું પ્રતીક માનવામાં આવે છે. આથી જ ભાઈબીજ પર બહેનો તેમના ભાઈઓને તિલક લગાવે છે, પવિત્ર દોરો બાંધે છે અને પછી તેમને નારિયેળ આપે છે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tradition Yamaraj and Yamuna Bhai Beej
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ