અખાત્રીજના દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે શંખથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધિ પૂર્વક પૂજા-અર્ચના કરવાથી ખૂબ પ્રસન્ન થાય છે. ભગવાન પરશુરામ જયંતિ પણ આ દિવસે ઉજવવામાં આવે છે.
અક્ષય તૃતીયાને પણ લક્ષ્મીની કૃપા મેળવા માટે ઉપાય કરાય છે
માન્યતા છે કે તેનાથી વર્ષ ભર આર્થિક સ્થિતિ સારી રહે છે
અખાત્રીજને સર્વસિદ્ધિ મૂહૂર્ત ગણાયું છે. જે રીતે દીવાળીના દિવસે લક્ષ્મીની કૃપા મળે છે તે જ રીતે અક્ષય તૃતીયાને પણ લક્ષ્મીની કૃપા મેળવા માટે ઉપાય કરાય છે. જે શુભ ફળદાયી ગણાય છે. માન્યતા છે કે તેનાથી વર્ષ ભર આર્થિક સ્થિતિ સારી રહે છે. જો તમે લાખોના સોના નહી ખરીદી શકો છો તો નિરાશ થવાની જરૂર નહી છે. તમે માત્ર 5 રૂપિયાની વસ્તુ ઘરમાં લાવીને પણ શુભતા મેળવી શકો છો.
એવું કહેવામાં આવે છે કે આ દિવસે દાન કરવાથી અક્ષય ફળ મળે છે. અક્ષય એટલે જેનો ક્યારેય નાશ થતો નથી. આ દિવસે અબુઝ મૂહૂર્ત પણ હોય છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસે મુહુર્ત વિના ઘણા સારા કાર્યો કરવામાં આવે છે. પરંતુ હાલમાં દેશમાં કોરોના વાયરસના ચેપને કારણે લોકડાઉન થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ઘરે રહીને પ્રસન્ન કરો.
મોસમી ફળ
અખાત્રીજના શુભ મૂહૂર્તમાં મોસમના રસીળા ફળ ખરીદવું પણ શુભ હોય છે. તમે ઓછાથી ઓછી કીમતમાં સારા ફલ ખરીદી શકો છો.
કપાસ
અક્ષય તૃતીયા પર 5 રૂપિયાની કપાસ એટલે રૂ પણ ખરીદી લાવી શકો છો.
પીળી સરસવ
મુટ્ઠી ભર પીળી સરસવ ખરીદી ઘરમાં લાવવાથી માતા લક્ષ્મીનો આશીષ મળે છે.
માટીની સામગ્રી
માટીના બનેલા સજાવટી કે પૂજા સંબંધી કે ઉપયોગી સામાન ઘરમાં લાવવાથી પણ ઘરની નકારાત્મક શક્તિઓ દૂર હોય છે.
મીઠું
અક્ષય તૃતીયા પર સિંધાલૂણ ઘરમાં લાવવું શુભ ગણાય છે. પણ આ મીઠાનો સેવન કદાચ ન કરવું.