બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / brain dead son organs donate transplant surat gujarat
ADVERTISEMENT
ગુજરાતમાં અંગદાન કરવામાં સૌથી અગ્રેસર એવા સુરતમાંથી અઢી વર્ષના બાળકનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. સુરતના અઢી વર્ષના જશ સંજીવ ઓઝાને બ્રેઇનડેડ જાહેર કરાયું હતું. બ્રેઇનડેડ જાહેર કરાયા બાદ બાળકના હૃદય, ફેફસાં, કિડની, લીવર અને આંખોનું દાન કરાયું છે. પત્રકાર સંજીવ ઓઝાએ સંમતિથી પોતાના બાળકના અંગોનું દાન કરાયું છે. હાલ આ સુરતના બાળકનું હૃદય રશિયાના બાળકમાં ધબકશે. સુરતના જશનું રશિયાના ચાર વર્ષના બાળકનું ચેન્નાઇની MGM હોસ્પિટલમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. તો બાળકના ફેફસાંનું યુક્રેનના 4 વર્ષના બાળકમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.
1615 કિ.મી.નું અંતર કાપીને 160 મીનીટમાં ચેન્નઇ પહોંચાડાયું
ADVERTISEMENT
સુરતની અમૃતા હોસ્પિટલથી ચેન્નાઈની MGM હોસ્પિટલ સુધીનું 1615 કિ.મીનું અંતર 160 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ રશિયાના રહેવાસી 4 વર્ષીય બાળકમાં તેમજ ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેનના રહેવાસી 4 વર્ષીય બાળકમાં ડૉ.બાલા ક્રિષ્નન અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
જશ ઓઝા પાડોશીના ઘરે રમતા રમતા બીજા માળેથી નીચે પડી ગયો હતો
9 ડિસેમ્બરે અઢી વર્ષનો જશ ઓઝા પાડોશીના ઘરે રમતા રમતા બીજા માળેથી નીચે પડી ગયો હતો. આ દરમિયાન તેના માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી જેને લઇને તે બેભાન થઇ ગયો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક સુરતની અમૃતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સીટી સ્કેન અને MRI કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું સામે આવ્યું હતું. 14 ડિસેમ્બરે હોસ્પિટલના ડૉક્ટરોએ બાળકનું બ્રેઈનડેડ હોવાનું જણાવ્યું હતું. જશના પિતા સંજીવ કે જેઓ એક પત્રકાર તરીકે વર્ષોથી ડોનેટ લાઈફની અંગદાનની પ્રવૃત્તિ વિશે સમાચાર પત્રોમાં લખીને સમાજમાં અંગદાન અંગેની જનજાગૃતિ ફેલાવવામાં પોતાનું યોગદાન આપતા હતા.
ADVERTISEMENT
મારા પુત્રના અંગદાનથી મારો પુત્ર અન્ય બાળકોમાં જીવિત રહેશેઃ પિતા
દરિયાદિલ પત્રકારે કહ્યું કે આજે મારો બાબુ (જશ) ભલે નથી રહ્યો પરંતુ તમે તેના અંગોનું દાન કરાવી અમદાવાદ, મુંબઈ, દિલ્હી અને ચેન્નાઈ જેવા શહેરોમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહેલા તેના જેવા બાળકોને નવું જીવન આપવા માટે આગળ વધો. મારા પુત્રના અંગદાનથી મારો પુત્ર અન્ય બાળકોમાં જીવિત રહેશે. ત્યાર બાદ પિતા સંજીવે ડોનેટ લાઈફના નીલેશ માંડલેવાલા અને ડૉ.સ્નેહલ દેસાઈની સાથે રહી પોતાની પત્નીને પણ જશના અંગદાન કરાવવા માટે રાજી કરી હતી.
જશની માતાએ કહ્યું હતું કે, હજુ એક દિવસ રાહ જુઓ કોઇ ચમત્કાર થાય અને મારો દીકરો મમ્મી મમ્મી બોલે
જશની માતાને આશા હતી કે, હજુ પણ કોઇ ચમત્કાર થાય કે મારો દીકરો ઉભો થઇને મમ્મી-મમ્મી બોલે. જેને લઇને તેની માતાએ વધુ એક દિવસની રાહ જોવા માટે જણાવ્યું હતું. આ દરમિયાન નિલેશ માંડલેવાલાએ સમજાવ્યા કે, દર્દી બ્રેઇનડેડ જાહેર થયા બાદ ધીરે ધીરે તેના દરેક અંગો બગડતા જાય છે. એક દિવસ પછી કદાચ અમુક અંગોનું દાન ન પણ થઇ શકે. ત્યારબાદ જશની માતાએ જણાવ્યું કે તેઓ જશને વધુને વધુ બાળકોમાં જોવા માંગે છે. જશની માતાએ પોતાના ફૂલ જેવા કોમળ બાળકના વધુને વધુ અંગો જરૂરિયાતમંદ દર્દીઓને ઉપયોગમાં આવી શકે તે માટે પોતાના હૃદય ઉપર પત્થર મૂકી પોતાના વ્હાલસોયા-લાડકવાયા બાળકના અંગદાનની મંજુરી આપી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.