હનુમાનજી બાલબ્રહ્મચારી છે તેવું કહેવાય છે પરંતુ શું તમે જાણો છો એક મંદિરમાં હનુમાનજી તેમની પત્ની સાથે બિરાજમાન છે અને આ વિશ્વનું એકમાત્ર મંદિર છે જ્યાં તે પોતાની ભાર્યા સાથે બિરાજમાન છે.
તેલંગણામાં આવેલ ખમ્મમ જિલ્લામાં હનુમાનજીનું એક પ્રાચીન મંદિર આવેલું છે. તે મંદિરમાં હનુમાનજી પોતાની પત્ની સાથે બિરાજે છે અને તેમની પત્નીનું નામ સુર્વચલા છે. વિશ્વમાં માત્ર આ એક મંદિર જ એવું છે જે હનુમાનજીના વિવાહની સાક્ષી પુરે છે. સમગ્ર ભારતના આકર્ષણનું કેન્દ્ર છે.
સ્થાનિકો અહી આવે છે અને જેઠ સુદ દશમની તિથીના દિવસે બજરંગબલિના વિવાહની ઉજવણી પણ કરે છે. સાઉથમાં હનુમાનજીનું મંદિર આવેલુ છે પરંતુ નોર્થના લોકો હજુ પણ આ વાતને અચરજ જ માને છે.
શું છે વિવાહની કથા
કહેવાય છે કે હનુમાનજી સૂર્યદેવને પોતાના ગુરુ માનતા હતા અને તેમની પાસે કુલ 9 વિદ્યા હતી. તે તમામ વિદ્યા હનુમાનજી પ્રાપ્ત કરવા માગતા હતા. 5 વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત કર્યુ પરંતુ 4 વિદ્યા એવી હતી જે માત્ર વિવાહીત વ્યક્તિ જ લઇ શકે.
હનુમાનજી બ્રહ્મચારી હતા જેથી સૂર્યદેવે કહ્યું મારી પુત્રી સુર્વચલા સાથે લગ્ન કરી લો, મારી દીકરી તપસ્વિની છે અને તેની સાથે લગ્ન કર્યા બાદ પણ તમે બ્રહ્મચારી જ રહેશો. વિવાહ બાદ સુર્વચના પણ તપસ્યામાં લીન થઇ ગયા હતા.
આ રીતે લગ્ન કર્યા બાદ હનુમાનજી બ્રહ્મચારી જ રહ્યાં અને લોકોએ આ મંદિર બનાવ્યું જેમાં તે હનુમાનજી અને સુર્વચનાના આશીર્વાદ લેવા જાય છે.