બ્રેકિંગ ન્યુઝ
પાકિસ્તાન સાથે અડીને આવેલી બોર્ડર પર ગણેશોત્સવની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ માટે મુંબઈથી ગણેશ મૂર્તિ સંપૂર્ણ રીતે ધૂમધામથી લઈ જવામાં આવી રહી છે.
ADVERTISEMENT

કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલા તણાવની વચ્ચે ગણેશ ભક્તો ઉત્સાહની સાથે ત્યાં ગણપતિ લઈ જઈ રહ્યાં છે. મુંબઈથી લઈ જવામાં આવી રહેલી ગણેશ મૂર્તિને પૂંછમાં સીમા પર સ્થાપિત કરવામાં આવશે જ્યાં સીમા પર તૈનાત જવાનો પણ 11 દિવસ પૂજા-અર્ચના કરે છે.
ADVERTISEMENT
પાકિસ્તાનની સીમા પર 10 દિવસો સુધી રહેનારા ભગવાન ગણેશને લઈ જનારી મહિલા કિરણ ઈશર એક કાશ્મીરી પંડિત છે જે પૂંછમાં જ રહે છે. તે બિલ્કુલ બોર્ડરથી અડેલા વિસ્તારમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરે છે. ગણેશ મૂર્તિ બંકર નુમા પંડાલમાં સ્થાપિત કરવામાં આવે છે.

ADVERTISEMENT
કિરણે જણાવ્યું કે તે છેલ્લાં ત્રણ વર્ષોથી ગણપતિ ઉત્સવ આયોજિત કરતી આવે છે. આ માટે મુંબઈના રાજાની જેમ આ ગણેશને 'બૉર્ડરના રાજા' નામ અપાયું છે. ગણેશ પ્રતિમાને ટ્રેનથી જમ્મુ લઈ જવાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.