આ વખતે પાકિસ્તાનની સીમા પર ગણપતિ બાપા મોરયાનો જય જયકાર થશે LoC પર બાપ્પા રખેવાળી કરશે. બંધારણમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ પ્રથમ ગણેશ મૂર્તિ કાશ્મીર માટે રવાના કરવામાં આવી રહી છે. મુંબઈમાં ગણેશોત્સવની તૈયારીઓ પૂરજોશમાં છે પરંતુ હવે જમ્મુ-કાશ્મીરમાં બોર્ડર પર પણ ગણેશોત્સવની ધૂમ મચશે.
પાકિસ્તાન સાથે અડીને આવેલી બોર્ડર પર ગણેશોત્સવની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ માટે મુંબઈથી ગણેશ મૂર્તિ સંપૂર્ણ રીતે ધૂમધામથી લઈ જવામાં આવી રહી છે.
કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલા તણાવની વચ્ચે ગણેશ ભક્તો ઉત્સાહની સાથે ત્યાં ગણપતિ લઈ જઈ રહ્યાં છે. મુંબઈથી લઈ જવામાં આવી રહેલી ગણેશ મૂર્તિને પૂંછમાં સીમા પર સ્થાપિત કરવામાં આવશે જ્યાં સીમા પર તૈનાત જવાનો પણ 11 દિવસ પૂજા-અર્ચના કરે છે.
પાકિસ્તાનની સીમા પર 10 દિવસો સુધી રહેનારા ભગવાન ગણેશને લઈ જનારી મહિલા કિરણ ઈશર એક કાશ્મીરી પંડિત છે જે પૂંછમાં જ રહે છે. તે બિલ્કુલ બોર્ડરથી અડેલા વિસ્તારમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરે છે. ગણેશ મૂર્તિ બંકર નુમા પંડાલમાં સ્થાપિત કરવામાં આવે છે.
કિરણે જણાવ્યું કે તે છેલ્લાં ત્રણ વર્ષોથી ગણપતિ ઉત્સવ આયોજિત કરતી આવે છે. આ માટે મુંબઈના રાજાની જેમ આ ગણેશને 'બૉર્ડરના રાજા' નામ અપાયું છે. ગણેશ પ્રતિમાને ટ્રેનથી જમ્મુ લઈ જવાશે.