બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / શેફાલીના મૃત્યુને 12 કલાકથી વધુ સમય થયો, મોતના કારણ અંગે હજુ પણ સસ્પેન્સ

મનોરંજન / શેફાલીના મૃત્યુને 12 કલાકથી વધુ સમય થયો, મોતના કારણ અંગે હજુ પણ સસ્પેન્સ

Chintan Chavda

Last Updated: 04:59 PM, 28 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

How Shefali Jariwala Died: બોલીવુડની ફેમસ અભિનેત્રી શેફાલી જરીવાલાનું શુક્રવારે અવસાન થઈ ગયું છે. શેફાલીની મોત બાદથી બૉલીવુડમાં સતત તેના મોતના કારણો પર સવાલો ઉઠી રહ્યા છે. તો ચાલો જાણીએ કે છેલ્લા 12 કલાકમાં શું થયું?

કાંટા લાગા સોંગથી ફેમસ થયેલી અભિનેત્રી શેફાલી જરીવાલાનું શુક્રવારે અવસાન થઈ ગયું છે. શેફાલીની મોત બાદથી બૉલીવુડમાં સતત તેના મોતના કારણો પર સવાલો ઉઠી રહ્યા છે. અચાનક સામે આવેલી મોતની ખબરથી ફેન્સથી સાથે સમગ્ર મનોરંજન ઇન્ડસ્ટ્રી ચોંકી ગઈ છે.

shefali-thumb

શરૂઆતી રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે શેફાલીના મોતનું કારણ હાર્ટ એટેક છે. જોકે, હવે સામે આવ્યું છે કે મોડી રાત્રે 1 વાગ્યે પોલીસ અને ફોરેન્સિક ટીમ શેફાલીના ઘરે પહોચી. ઘરે હાજર લોકો સાથે પૂછપરછ ચાલી રહી છે. સાથે જ પોલીસ મોડી રાત્રે કુક-મેડને પૂછપરછ માટે લઈ ગઈ છે. શેફાલીના મોત પર હજુ પણ સસ્પેન્સ છે. મોતનું કારણ હાર્ટ એટેક હતો કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ મોતનું કારણ બહાર આવશે.

છેલ્લા 12 કલાકમાં શું થયું?

શેફાલીના મોત પછી, છેલ્લા 12 કલાકમાં તેના મૃત્યુ વિશે ઘણી માહિતી સામે આવી છે. આ સાથે, તેના હેલ્થ વિશે ઘણા રહસ્યો પણ ખુલ્યા. ચાલો જાણીએ કે છેલ્લા 12 કલાકમાં શું થયું?

app promo5

શુક્રવારે મોડી રાત્રે શેફાલી જરીવાલનું અવસાન થયું. અભિનેત્રીના મોતની જાણ થયા બાદ, મુંબઈ પોલીસની ટીમ અને ફોરેન્સિક ટીમ શેફાલી જરીવાલાના ઘરે પહોંચી હતી. શેફાલીના ચોકીદારે તેના મૃત્યુ પછી શું થયું તેની માહિતી આપી છે.

  • શેફાલીના ઘરના વોચમેને જણાવ્યું કે શેફાલીને રાત્રે લગભગ 10:30 વાગ્યે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
  • તે પહેલાં, રાત્રે 9 વાગ્યે, તેના પતિ પરાગ ત્યાગી મોટરસાઇકલ પર સોસાયટીમાં આવ્યા હતા.
  • ચોકીદારે કહ્યું, ગઈકાલે સાંજે, મેડમ અને તેમના પતિ પરાગ તેમના કૂતરા સાથે સોસાયટીના કમ્પાઉન્ડમાં જોવા મળ્યા હતા.
  • રાતથી જ પોલીસ અંદર હાજર હતી. મોબાઈલ ફોરેન્સિક યુનિટના બે ગાડીઓ પણ હાજર હતી.
  • તેણીને હોસ્પિટલ લઈ ગયા પછી, એક માણસ મોટરસાઇકલ પર આવ્યો, જે તેનો મિત્ર લાગતો હતો, અને પછી કહેવામાં આવ્યું કે શેફાલી હવે નથી રહી.
  • હાલમાં, શેફાલી જરીવાલાના પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

વધુ વાંચો: Photos: પલક તિવારીએ જલવો પાડી દીધો, શેર કરી એવી સ્ટનિંગ તસવીરો કે...!

શેફાલીના અવસાન બાદ પછી, સમગ્ર ફિલ્મ ઈડસ્ટ્રીમાં શંકા અને શોકનું મોજું ફરી વળ્યું છે. ફિલ્મ નિર્માતા અશોક પંડિતે દુ:ખ વ્યક્ત કર્યું અને કહ્યું કે શેફાલીનું કરિયર ખૂબ જ સારું ચાલી રહ્યું હતું. જોકે, તે જે બીમારીથી પીડાઈ રહી હતી તે ખૂબ જ દુઃખદ છે. આવી ઘટનાઓ સતત વધી રહી છે, લોકોમાં વર્ક સ્ટ્રેસ વધુ હોય છે. લોકો ડિપ્રેશનમાં જાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kanta Laga Girl Bollywood News Shefali Jariwala
Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ