બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'મને કોઇ જ શરમ નથી, ભલે ને ત્રણ-ચાર વાર....', 47 વર્ષની એક્ટ્રેસના નિવેદનથી ઇન્ડસ્ટ્રીમાં હડકંપ
Last Updated: 03:26 PM, 7 June 2025
દીપશિખા નાગપાલ 'બાદશાહ' અને 'સિર્ફ તુમ' જેવી ફિલ્મોથી ચર્ચામાં આવી હતી. જોકે તે બૉલીવુડમાં ઓળખાણ ન બનાવી શકી, તેને માત્ર નાની સ્ક્રીન પર જ કામ કર્યું છે. આ બધા વચ્ચે અભિનેત્રીએ તાજેતરમાં જ પોતાના બે અસફળ લગ્ન વિશે વાત કરી અને એમ પણ કહ્યું કે જો બધુ બરાબર રહ્યું તો ફરીથી નવો સંબંધ પણ બનાવી શકું છું. દીપશિખાએ એમ પણ કહ્યું કે તેના એક્સ પાર્ટનરને દોષી કહેવા માટે કશું નથી, પરંતુ આ અસફળ લગ્ન પોતાના જીવનમા ખરાબ સમયને જવાબદાર ઠેરવું છે.
ADVERTISEMENT
હું ત્રણ નહિ ચાર વખત લગ્ન કરી શકું છું..
એક ઇન્ટરવ્યુ દરમિયાન, દીપશિખાને પૂછવામાં આવ્યું કે શું તે ફરીથી લગ્ન કરવાનું વિચારશે. આના પર, અભિનેત્રીએ કહ્યું કે એક કરતા વધુ લગ્ન કરવામાં કંઈ ખોટું નથી, કારણ કે તે પહેલાથી જ બે છૂટાછેડામાંથી પસાર થઈ ચૂકી છે. દીપશિખાએ કહ્યું, "હું ત્રણ વખત, ચાર વખત લગ્ન કરી શકું છું - મને તેમાં કોઈ શરમ નથી. ઓછામાં ઓછું હું મારું જીવન જીવી રહી છું. જ્યારે હું બે લોકોને જોઉં છું જે મેળ ખાતા નથી..."
ADVERTISEMENT
ADVERTISEMENT
પોતાના પાર્ટનર માટે યોગ્ય નહતી
તેને એ પણ સ્વીકાર્યું કે કદાચ તે તેના ભૂતપૂર્વ જીવનસાથી માટે યોગ્ય વ્યક્તિ નહોતી. અભિનેત્રીએ કહ્યું, "મેં હંમેશા ખોટા કારણોસર લગ્ન કર્યા છે. તમારે હંમેશા યોગ્ય કારણોસર લગ્ન કરવા જોઈએ, તેથી હું દરેક વસ્તુ માટે તે વ્યક્તિને દોષી ઠેરવી શકતી નથી. મને લાગે છે કે હું ખૂબ જ રોમેન્ટિક છું. હું પ્રેમમાં માનું છું, હું રોમાન્સમાં માનું છું, હું લગ્નમાં માનું છું, બે લોકો સાથે રહી શકી છું. તેથી, જો તે કામ ન કરી રહ્યું હોય, તો તમારા જીવનને બરબાદ કરવા કરતાં એકલા જીવવું વધુ સારું છે. તમારે તમારું જીવન જીવવું જોઈએ."
ADVERTISEMENT
સંબંધથી બહાર આવવામાં પાંચથી છ વર્ષ લાગ્યા
તેને કહ્યું કે પોતાના પહેલા લગ્નથી આગળ વધીને ફરીથી લગ્ન કર્યા પછી પણ, વસ્તુઓ કામ કરી શકી નહીં. અભિનેત્રીએ કહ્યું કે તેના મનોચિકિત્સકે તેને કહ્યું કે તારી સંબંધોની રીત અલગ છે. તે સરળતાથી સંબંધોમાં નથી આવતી, અને તેમાંથી બહાર નીકળવામાં ઘણો સમય લાગે છે. અભિનેત્રીએ કહ્યું, "મને પાંચથી છ વર્ષ લાગ્યા. હું અપરાધભાવથી ઘેરાઈ ગઈ, પણ પછી મને સમજાયું કે મારે આ રીત તોડવી પડશે. તેથી મેં બૌદ્ધ જીવન જીવવાની કળાનો સહારો લીધો. નવી રીતો શોધ્યા પછી, તે સમજવા લાગી કે આ વસ્તુઓ તેની સાથે કેમ થઈ રહી છે.
ADVERTISEMENT
વધુ વાંચો:પહેલા જ દિવસે 21 ફિલ્મોને પછાડી દીધી, જાણો 'હાઉસફૂલ 5'નું ફર્સ્ટ ડે કલેક્શન
"મેં મારા સ્ટાન્ડર્ડ અને એનર્જીને વધારી છે જેથી હું ફરીથી એ જ ખોટા નિર્ણયો ન લઉં. મેં મારી જાત પર કામ કર્યું છે. તેથી હવે, ભલે હું સાત વર્ષથી સિંગલ છું, મને એવું નથી લાગતું કે, 'હે ભગવાન, કોઈ નથી.' કોઈ વાંધો નથી. યોગ્ય વ્યક્તિ આવશે. હવે, મને ખબર છે કે મારે શું જોઈએ છે."
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.