ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Board Of Control For Cricket In India will probe sanjay bangar's alleged argument with selector if report is filed

ક્રિકેટ / બરતરફ કરાયેલ બેટિંગ કોચ સંજય બાંગડ ભડક્યાં, સિલેક્ટરનાં રૂમમાં ઘુસી કરી બબાલ

Published By: vtvAdmin

Last Updated: 07:01 PM, 4 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એવાં સમાચાર સામે આવ્યાં છે કે ટીમ ઇન્ડીયાનાં બરતરફ કરાયેલ કોચ સંજય બાંગડે તાજેતરમાં જ વેસ્ટઇન્ડીઝની મુલાકાત પર રાષ્ટ્રીય પસંદગીકાર દેવાંગ ગાંધીને (Devang Gandhi) તેમની હોટલનાં રૂમમાં ભારે ચર્ચા થઇ. બીસીસીઆઇ (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ)નાં એક અધિકારીએ એક ખાનગી ચેનલને કહ્યું કે, 'સંજય બાંગડ હોટલમાં દેવાંગ ગાંધીનાં રૂમમાં ઘુસીને કડક અંદાજમાં વાત કરી અને આ વાતચીત બિલકુલ મિત્રતા જેવી નથી.'

ADVERTISEMENT

sanjay bangar

આ મામલો ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદ સિવાય બીસીસીઆઇ અધિકારીઓ સુધી પહોંચ્યો. હવે જણાવવામાં આવી રહ્યું છે કે બોર્ડ બાંગડને ત્યારે પૂછપરછ કરશે, જ્યારે પ્રશાસનિક પ્રબંધક સુનીલ સુબ્રમણ્યમ અથવા મુખ્ય કોચ રવિ શાસ્ત્રી આ મુદ્દા પર ઓફિશીયલ રિપોર્ટ દાખલ કરે. સંજય બાંગડ ની (sanjay bangar) જગ્યાએ હવે વિક્રમ રાઠોડ બેટ્સમેનનાં કોચ છે.

અધિકારીએ જણાવ્યું કે, 'એટલે સુધી સંજય બાંગડે સિલેક્ટરને ધમકી આપતા કહ્યું કે, ટીમ તેમની સાથે છે અને તેઓને બેટ્સમેન કોચનાં પદેથી હટાવવાનો પસંદગીકારનો નિર્ણય ઉલ્ટો પડી શકે છે. રિપોર્ટ અનુસાર, બાંગડે એટલે સુધી કહ્યું કે, જો પસંદગીકાર તેઓને બેટ્સમેન કોચ તરીકે યોગ્ય ના માને તો તેઓએ રાષ્ટ્રીય ક્રિકેટ અકાદમીમાં કોઇ ભૂમિકા આપવામાં આવે. તમને જણાવી દઇએ કે ટીમ ઇન્ડીયાનો સપોર્ટ સ્ટાફ નિયુક્ત કરવાનો અધિકાર રાષ્ટ્રીય પસંદગી સમિતિની પાસે છે.'

સહયોગી સ્ટાફની પસંદગીની પ્રભારી રાષ્ટ્રીય પસંદગી સમિતિ હોય છે. સહયોગી સ્ટાફમાંથી માત્ર બાંગડને જ હટાવવામાં આવ્યો, જ્યારે ભરત અરૂણ (બોલિંગ કોચ) અને આર. શ્રીધર (ફીલ્ડીંગ કોચ) નાં પદ પર યથાવત રાખવામાં આવ્યાં છે. બીસીસીઆઇ અધિકારીઓએ ગાંધી અને બાંગડની ઝડપની પુષ્ટિ કરી, પરંતુ તેઓને નથી લાગતું કે મામલો વધુ આગળ વધશે કેમ કે હવે બાંગડનો બીસીસીઆઇ (BCCI) સાથે કરાર નથી.

Devang Gandhi

અધિકારીએ કહ્યું કે, 'પ્રશાસનિક પ્રબંધક સુબ્રમણ્યમને પોતાનાં રિપોર્ટમાં આ ઘટનાનો ઉલ્લેખ કરવાનો રહેશે. આ સિવાય મુખ્ય કોચ રવિ શાસ્ત્રીને પણ લિખિતમાં આપવાનો રહેશે કે આવી કોઇ ઘટના થઇ છે.' તેઓએ કહ્યું કે, 'જો આવું નથી થતું તો સીઓએની સામે આને રાખવાનો સવાલ જ નથી થતો.'

અધિકારીએ કહ્યું કે, 'બરતરફ હોવાં પર કોઇનું પણ નિરાશ થવું એ સ્વભાવિક છે. પરંતુ તેઓને આવું કેમ લાગ્યું કે તેમનાં કાર્યકાળને વધારવામાં આવશે. શાસ્ત્રી, અરૂણ અને શ્રીધરનું પ્રદર્શન સારું હતું તો તેને યથાવત રાખવામાં આવ્યાં. બાંગડનું પ્રદર્શન ખરાબ હતું તો તેઓને હટાવવામાં આવ્યાં.' અધિકારીએ કહ્યું કે, 'બાંગડને ગાંધીને સવાલ જ પૂછવા ન હોતા જોઇતાં. તેની પર બૂમબરાડા પાડવા એ કોઇ ન્યાય ન હોતાં.'

સંકળાયેલા મુદ્દાઓ

BCCI Cricket Devang Gandhi sanjay bangar sports ક્રિકેટ દેવાંગ ગાંધી બીસીસીઆઇ સંજય બાંગડ Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ