બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ઉત્તરપ્રદેશમા આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે. જેને લઈને મોટા ભાગની પાર્ટીઓ દ્વારા પુરી તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે ભાજપ દ્વારા પણ તેમનો માસ્ટર પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. જેમા દરેક મતદારો સુધી પહોચવા માટે યોગી સરકાર દ્વારા રથ યાત્રા કાઢવામાં આવશે.

ADVERTISEMENT
જુદા જુદા રૂટ પર નીકળશે 4 રથયાત્રા
દરેક મતદારો અને સમાજ સુધી પહોચવા માટે પાર્ટી દ્વારા કુલ 4 રથયાત્રાઓ કાઢવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. એવું માનવામાં આવી રહ્યું છે ભાજપ દ્વારા ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં રથયાત્રા કાઢવામં આવશે. જોકે આ યાત્રાને હજું અંતિમરૂપ આપવાનું બાકી છે. ભાજપ દ્વારા ઉત્તરપ્રદેશ, પૂર્વાંચલ, બુંદેલ ખંડ સહિતના વિસ્તારોમાંથી રથયાત્રા કાઢવામાં આવશે.
ADVERTISEMENT

કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ પણ યાત્રામાં શામેલ થશે
ADVERTISEMENT
ચાર અલગ અલગ રૂટ પરથી યાત્રા કાઢવામાં આવશે જેમા કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના મંત્રીઓ પણ શામેલ થવાના છે. ભાજપ દ્વારા રથયાત્રા કાઢીને પીએમ મોદી તેમજ યોગી આદિત્યનાથે જે પણ કામ કર્યા છે. તે કામ જનતાને જણાવામાં આવશે. આ ચારેય રથયાત્રા 15 દિવસ સુધી ચાલશે અને લખનૌમાં આ યાત્રાનો અંત લાવવામાં આવશે.

ADVERTISEMENT
25 ડિસેમ્બરે યાત્રા પૂરી કરી રેલી કાઢે તેવી શક્યતા
રથયાત્રાનો સમાપ્ત થયા બાદ ભાજપ દ્વારા મોટી રેલી કાઢવામાં આવશે. 25 ડિસેમ્બરે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ છે જેથી એવી શક્યતા છે કે આ યાત્રાને ત્યારેજ પતાવામાં આવી શકે છે. આ પ્રસંગે પીએમ મોદી તેમજ તેમની સાથે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા પણ શામેલ થાય તેવી શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.