બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / ભાજપ સંગઠનને લઇ સૌરાષ્ટ્રથી મોટા સમાચાર, આ જાણીતા ચહેરાને અપાઇ શકે છે મોટો હોદ્દો
Last Updated: 12:10 PM, 24 November 2025
રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર ઝોનની ભાજપ સંગઠન બેઠકને લઈને આજે શહેરમાં રાજકીય હલચલ જોવા મળી રહી છે. આ બેઠક માટે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ તથા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રાજકોટ પહોંચ્યા છે. બેઠક પહેલા તેઓ અંજલીબેન રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જેના કારણે રાજકીય વર્તુળોમાં નવી ચર્ચાઓને વેગ મળ્યો છે.
ADVERTISEMENT
અંજલીબેન રૂપાણીની રાજકારણમાં વાપસીના સંકેતો
મળતી માહિતી મુજબ ભાજપ અંજલીબેન રૂપાણીને ફરી રાજકીય રીતે સક્રિય કરવા માગે છે. સંગઠનના અંદરના સૂત્રો મુજબ તેમને પાર્ટીમાં મહત્વપૂર્ણ હોદ્દો આપવામાં આવી શકે છે. આ મુલાકાતને સૌરાષ્ટ્રમાં ભાજપના સંગઠનાત્મક ફેરફારો અને ભવિષ્યવૂ વ્યૂહરચનાઓ સાથે જોડીને જોવામાં આવી રહી છે.
ADVERTISEMENT

મહત્વપૂર્ણ બેઠક ભાજપ કાર્યાલય ખાતે
ADVERTISEMENT
રાજકોટના ભાજપ કાર્યાલય ખાતે યોજાનારી આ સંગઠન બેઠકમાં સૌરાષ્ટ્રના તમામ જીલ્લા તથા શહેરના ભાજપ અધ્યક્ષો અને મહામંત્રીઓ હાજર રહેશે. બેઠકમાં આવનારા સમયમાં સૌરાષ્ટ્રમાં સંગ્રઠન મજબૂત બનાવવા, સ્થાનિક રાજકીય સમીકરણો અને આવતા ચૂંટણીના પ્રણાલીઓને લઈને ચર્ચા થવાની શક્યતા છે.
આ પણ વાંચોઃ સુરતમાં ફરી યુવાધન ચડ્યું નશાના રવાડે, હાઇબ્રિડ ગાંજા સાથે બે ઈસમોની ધરપકડ
ADVERTISEMENT
સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટા બદલાવના સંકેતો
બી.એલ. સંતોષના આગમન અને અંજલીબેન રૂપાણી સાથેની મુલાકાતને રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટી હલચલ માનવામાં આવી રહી છે. પાર્ટીના આંતરિક સંગઠનમાં કેટલાક મોટા નિર્ણય લેવામાં આવશે તેવી ધારણા રાજકીય નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યાં છે. આ બેઠકના નિર્ણયો સૌરાષ્ટ્રની રાજકીય દિશા અને ભાજપના આગામી પગલા નક્કી કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.