બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / ભારત / BJP offered 7 AAP MLAs Rs 25 crore to quit party, conspiracy afoot to topple Delhi govt: CM Kejriwal
Hiralal
Last Updated: 02:53 PM, 27 January 2024
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે એક ગંભીર આરોપ કરીને રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે. કેજરીવાલે દાવો કર્યો કે ભાજપે આમ આદમી પાર્ટીના 7 ધારાસભ્યોને દરેકને 25-25 કરોડમાં પાર્ટી છોડવાની ઓફર કરી છે. કેજરીવાલ સરકારને ઉથલાવાની પણ ધમકી આપવામાં આવી છે. કેજરીવાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું કે તેમની પાર્ટીના સાત ધારાસભ્યોનો અજાણ્યા વ્યક્તિઓ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે અને ચેતવણી આપવામાં આવી છે કે કેજરીવાલની ટૂંક સમયમા ધરપકડ થશે અને તેથી તમે 25 કરોડ લઈ લો અને આમ આદમી પાર્ટી છોડી દો.
STORY | Conspiracy to topple Delhi govt, 7 AAP MLAs offered Rs 25 crore to quit party: CM Kejriwal
— Press Trust of India (@PTI_News) January 27, 2024
READ: https://t.co/2h7wtXHS8Q pic.twitter.com/eVzoYB2a1B
અજાણ્યા લોકોનો ફોન આવ્યો-કેજરીવાલ
કેજરીવાલના જણાવ્યા અનુસાર, ફોન કરનારાઓએ આપના 21 ધારાસભ્યોના સંપર્કમાં હોવાનો દાવો કર્યો હતો અને દિલ્હી સરકારને ઉથલાવ્યા બાદ ચૂંટણી લડવા માટે ભાજપની ટિકિટ સાથે 25-25 કરોડ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. આપના તમામ સાત ધારાસભ્યોએ આ ઓફરને નકારી કાઢી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે દિલ્હીમાં આપ સરકારને અસ્થિર કરવા માટે કથિત દારૂના કૌભાંડના સંદર્ભમાં તેમની ધરપકડ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એક પત્રકાર પરિષદ દરમિયાન, દિલ્હીના પ્રધાન આતિશીએ આરોપ લગાવ્યો હતો કે ભાજપે દિલ્હીમાં 'ઓપરેશન લોટસ 2.0' શરૂ કર્યું છે, તેમણે નિર્દેશ કર્યો હતો કે ગયા વર્ષે આપના ધારાસભ્યોને પૈસાની લાલચ આપવાનો આવો જ પ્રયાસ નિષ્ફળ ગયો હતો.
VIDEO | "These are all false allegations. The AAP and Arvind Kejriwal are so much afraid that they are making false and baseless allegations against us," says BJP leader @BansuriSwaraj on Delhi CM Arvind Kejriwal's 'conspiracy to topple Delhi govt' remark. pic.twitter.com/UxOLfUrSJB
— Press Trust of India (@PTI_News) January 27, 2024
ભાજપે શું કહ્યું
આ આરોપોને નકારી કાઢતા દિલ્હી ભાજપના સચિવ હરીશ ખુરાનાએ આતિશીને પડકાર ફેંક્યો હતો કે તેઓ સંપર્ક કરાયેલા ધારાસભ્યો અને ઓફર કરનારાઓની ઓળખ જાહેર કરે. તેમણે 'આપ' પર આરોપ લગાવ્યો હતો કે કેજરીવાલ દ્વારા દારૂ કૌભાંડ સંબંધિત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ના સમન્સને છોડીને ધ્યાન હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
पिछले दिनों इन्होंने हमारे दिल्ली के 7 MLAs को संपर्क कर कहा है - “कुछ दिन बाद केजरीवाल को गिरफ़्तार कर लेंगे। उसके बाद MLAs को तोड़ेंगे। 21 MLAs से बात हो गयी है। औरों से भी बात कर रहे हैं। उसके बाद दिल्ली में आम आदमी पार्टी की सरकार गिरा देंगे। आप भी आ जाओ। 25 करोड़ रुपये देंगे…
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 27, 2024
દારુ કૌભાંડમાં ઈડી કેજરીવાલની પૂછપરછ કરવા માગે છે
ઉલ્લેખીય છે કે દિલ્હી દારુ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના 3 મોટા નેતાઓ સત્યેન્દ્ર જૈન, મનિષ સિસોદીયા અને ત્રીજા એક મોટા નેતા જેલમા કેદ છે. કેજરીવાલની પણ ધરપકડ થવાની શક્યતા છે. ઈડીએ ત્રણ વાર કેજરીવાલને સમન્સ પાઠવ્યું હતું તેમ છતાં તેઓ ઈડી સામે હાજર થયા નહોતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime