ઉઝબેકિસ્તાનમાં કફ સિરપના કારણે 18 બાળકોના મોતને લઈને ભારતમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે આ અંગે કેન્દ્ર સરકારને ટોણો માર્યો હતો
કફ સિરપને લઈને ફરી વિવાદ ઉઠ્યો
ઉઝબેકિસ્તાનમાં 18 બાળકોના મોત
જયરામ રમેશે સાધ્યું સરકાર પર નિશાન
ઉઝબેકિસ્તાનમાં કફ સિરપના કારણે 18 બાળકોના મોતને લઈને ભારતમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે આ અંગે કેન્દ્ર સરકારને ટોણો માર્યો હતો. હવે ભાજપના નેતા અમિત માલવિયાએ આનો બદલો લીધો છે અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ગેમ્બિયામાં બાળકોના મૃત્યુનો ભારતમાં બનેલા કફ સિરપના સેવન સાથે કોઈ સંબંધ નથી.
The death of children in Gambia had nothing to do with the consumption of cough syrup made in India. That has been clarified by the Gambian authorities and DCGI, both. But blinded in its hate for Modi, Congress continues to deride India and its entrepreneurial spirit. Shameful… https://t.co/BKVQw5qskI
જયરામ રમેશ
અમિત માલવિયાએ કહ્યું કે ગેમ્બિયન સત્તાવાળાઓ અને DCGI બંને દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ભારતીય કફ સિરપ આની પાછળ નથી. આ પછી પણ પીએમ મોદી પ્રત્યેની નફરતમાં આંધળી બનેલી કોંગ્રેસ ભારતની સાહસિકતાની મજાક ઉડાવી રહી છે. તેણે તેને શરમજનક ગણાવ્યું છે.
Made in India cough syrups seem to be deadly. First it was the deaths of 70 kids in Gambia & now it is that of 18 children in Uzbekistan. Modi Sarkar must stop boasting about India being a pharmacy to the world & take strictest action.
સરકારે કડક પગલા લેવા જોઈએ
હકીકતમાં, જમરામ રમેશે ટ્વિટ કર્યું હતું કે મેડ ઇન ઇન્ડિયા કફ સિરપ જીવલેણ લાગે છે. અગાઉ ગામ્બિયામાં 70 બાળકોના મોત થયા હતા અને હવે ઉઝબેકિસ્તાનમાં 18 બાળકોના મોત થયા છે. કેન્દ્ર પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું કે મોદી સરકારે ભારત વિશે બડાઈ મારવાનું બંધ કરવું જોઈએ અને કડક પગલાં લેવા જોઈએ.