બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / Big revelation in Ahmedabad serial blast case: SP connection, Anurag Thakur seeks reply from Akhilesh Yadav
ADVERTISEMENT
ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ત્રીજા ચરણના મતદાનને શરુ થવામાં હવે ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે એક-બીજા પર આરોપ લગાવાનો દુર યથાવત છે. આજે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે એક પ્રેસ કોન્ફરન્સમાં અખિલેશ યાદવ અને સમાજવાદી પાર્ટી પર સીધું નિશાન તાક્યું હતું.
અપરાધીઓને બચાવે છે સમાજવાદી પાર્ટી
અનુરાગ ઠાકુરે કહ્યું કે, 'સમાજવાદી પાર્ટી (SP)એ હંમેશા અપરાધીઓ અને તોફાની તત્વોને રક્ષણ આપ્યું છે.અને અપરાધીઓ પર લગાવાયેલા કેસોને હટાવાના આશ્વાસન આપે છે.
ADVERTISEMENT
અમદાવાદ બ્લાસ્ટ કેસમાં SPનું કનેક્શન -અનુરાગ ઠાકુર
કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, 2008 અમદાવાદ સીરીયલ બ્લાસ્ટમાં 56 લોકોના મોત થયા હતા. સેંકડો લોકો ઘાયલ થયા.કોર્ટના આદેશનું અમે સ્વાગત કરીએ છીએ. બીજેપી સ્વાગત કરે છે. જેમાં 49 આરોપીઓને સજા સંભળાવવામાં આવી.28 આતંકીઓને ફાંસીની સજા તો 11 ને આજીવન કેદની સજા સંભળાવાઈ છે. આ ત્યારે શક્ય બન્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી મોદી જી હતા. SITની રચના થઇ. 19 દિવસોમાં તમામ આતંકીઓને સામે કાર્યવાહી કરાઈ.પુરાવા પહોચાડવાથી આતંકીઓને ઝડપી લેવા સુધી મોદી સરકારે કામ કર્યું અને આજે પણ આતંકવાદને જડમૂળથી નાબૂદ કરવાના માટે મોદી સરકાર વચનબદ્ધ છે. એ બ્લાસ્ટનું SP અને તેના નેતાઓ સાથે કનેક્શન રહ્યું છે.એવામાં અખિલેશ યાદવ અને સમાજવાદી પાર્ટી એ આકેસમાં જવાબ આપી પોતાનું વલણ સ્પષ્ઠ કરવું જોઈએ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.