બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Priyakant
Last Updated: 03:51 PM, 15 April 2024
Iran Israel War : ઈરાનના ઈઝરાયેલ પર હુમલા બાદ સમગ્ર વિશ્વમાં ભારે અસ્થિરતાનો માહોલ છે. આ હુમલાથી મધ્ય પૂર્વમાં તણાવ વધી ગયો છે. આ બધાની વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ભારત સરકારે ઈરાન દ્વારા પકડાયેલા ઈઝરાયેલના જહાજમાં સવાર 17 ભારતીયોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કર્યા બાદ હવે ઈરાન સરકારે આ ભારતીયોની ભારત સરકારના પ્રતિનિધિઓ સાથેની બેઠકને લીલી ઝંડી આપી દીધી છે.
ઈરાનના વિદેશ મંત્રી હોસૈન અમીર-અબ્દુલ્લાહિયાનું કહેવું છે કે, તેહરાન ટૂંક સમયમાં જ ભારતીય સરકારી અધિકારીઓને MSC Aries જહાજમાં સવાર ભારતીયોને મળવાની મંજૂરી આપશે. ઈરાનના વિદેશ મંત્રીનું કહેવું છે કે, તેમની સરકાર પકડાયેલા જહાજની વિગતો એકઠી કરી રહી છે. 17 ભારતીયો સાથે ભારત સરકારના પ્રતિનિધિઓની બેઠક અંગેની માહિતી ટૂંક સમયમાં પૂરી પાડવામાં આવશે.
વિદેશમંત્રી એસ જયશંકરે કર્યો હતો ફોન
આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે વિદેશ મંત્રી એસ જયશંકરે તાજેતરમાં તેમના ઈરાનના સમકક્ષ હુસૈન અમીર-અબ્દુલ્લાહિયન સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે 17 ભારતીય નાગરિકોની મુક્તિનો મુદ્દો ઉઠાવ્યો હતો. ફોન પર વાતચીત દરમિયાન જયશંકરે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતી દુશ્મનાવટને લઈને તણાવ ટાળવા, સંયમ રાખવા અને કૂટનીતિના માર્ગ પર પાછા ફરવાનું આહ્વાન કર્યું હતું.
EAM Dr S Jaishankar tweets, "Spoke to the Minister of Foreign Affairs of the Islamic Republic of Iran H.Amirabdollahian this evening. Took up the release of 17 Indian crew members of MSC Aries. Discussed the current situation in the region. Stressed the importance of avoiding… pic.twitter.com/kTiHrqXnNL
— ANI (@ANI) April 14, 2024
નોંધનિય છે કે, તાજેતરમાં જ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા ઈઝરાયલના જહાજ MSC Ariesને પકડી લીધું હતું. આ જહાજ લંડનનું ઝોડિયાક મેરીટાઇમ છે, જે ઇઝરાયેલના અબજોપતિ આઇલ ઓફરના રાશિચક્ર જૂથનું છે. આ જહાજ સંયુક્ત આરબ અમીરાત (UAE)ના એક બંદરેથી રવાના થયું હતું. MSC Aries છેલ્લે ગયા શુક્રવારે દુબઈથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ તરફ જતી જોવા મળી હતી. બાદમાં પુષ્ટિ થઈ કે ઈરાને આ જહાજ કબજે કરી લીધું છે. આ જહાજમાં કુલ 25 લોકો સવાર હતા જેમાંથી 17 ભારતીય હતા.
ઈરાનનો અડધી રાત્રે ઈઝરાયેલ પર હુમલો
ઈરાને 13 એપ્રિલની મધ્યરાત્રિએ ઈઝરાયેલ પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા. ઈરાને ઈઝરાયેલ પર 300 થી વધુ વિવિધ પ્રકારના ડ્રોન હુમલા કર્યા હતા, જેમાં કિલર ડ્રોનથી લઈને બેલિસ્ટિક મિસાઈલો અને ક્રુઝ મિસાઈલોનો સમાવેશ થાય છે. ઇઝરાયલી સેનાએ એર ડિફેન્સ સિસ્ટમને સક્રિય કરી દીધી હતી. ઈઝરાયલ આર્મી IDFના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ કહ્યું હતું કે ઈરાને ઈઝરાયેલ પર સીધો હુમલો કર્યો છે. ઇઝરાયલે આમાંથી મોટાભાગની મિસાઇલો એરો એરિયલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા તોડી પાડી હતી. એવું કહેવાય છે કે ઇઝરાયેલે ઇરાનના 99 ટકા હવાઈ હુમલાને નિષ્ફળ બનાવ્યા હતા. આ હુમલા બાદ અમેરિકા અને બ્રિટન સહિત ઘણા દેશો ઈઝરાયેલની મદદ માટે આગળ આવ્યા હતા.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime