બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નર્મદા નદીમાં સેલ્ફી લેવી યુવકોને પડ્યું ભારે, અચાનક પાણી વધતાં ફસાયો
Last Updated: 09:42 AM, 11 August 2025
અંકલેશ્વર નજીક નર્મદા નદીના કિનારે રવિવારની સાંજે થયેલી એક ઘટના લોકો માટે ચેતવણીરૂપ બની છે. નર્મદા નદીના ગોલ્ડન બ્રિજ નજીક પાંચ યુવાનો મોજમસ્તી માટે પહોંચ્યા હતા. તેમના ગ્રુપે નદી કિનારે લંગરેલી બોટ જોઈ અને તેમાં ચડીને ધીંગામસ્તી શરૂ કરી. આ દરમ્યાન અચાનક ભરતીના પાણી આવી જતા બોટ નદીના વચમાં ફસાઈ ગઈ. પરિણામે પાંચેય યુવાનો પાણીમાં ઘેરાઈ ગયા અને તેમનો જીવ જોખમમાં મુકાઈ ગયો.
ADVERTISEMENT

તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા
ADVERTISEMENT
ઘટનાની જાણ થતા જ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી દ્વારા તાત્કાલિક આજુબાજુમાંથી માછીમારોને બોલાવ્યા હતા. માછીમારો તેમના જીવના જોખમે તરીને નાવડી સુધી તમામને સુરક્ષિત બહાર લાવી લીધા. પાંચેય યુવાનોનો જીવ બચી જતા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો.

ADVERTISEMENT
વારંવાર આવા જોખમી બનાવો સામે આવે છે
સામાજીક કાર્યકર ધર્મેશ સોલંકીએ જણાવ્યું કે અંકલેશ્વર તરફના નર્મદા નદીના કિનારે રવિવાર અને રજાના દિવસોમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે. પરંતુ તંત્ર તરફથી ત્યાં કોઈ સલામતીના પગલાં લેવામાં આવતા નથી. જેને લઈને વારંવાર આવા જોખમી બનાવો સામે આવી રહ્યા છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ વડોદરાની હયાત હોટલમાં બ્રાહ્મણ ગ્રાહકને માંસાહારી ભોજન પીરસાયું, મચ્યો મોટો હોબાળો
ADVERTISEMENT
તંત્ર દ્વારા નદી કિનારે ચેતવણીના બોર્ડ મૂકવા જોઈએ
આ ઘટનાએ ફરી એકવાર એ વાત પર ભાર મૂક્યો છે કે તંત્રે તાત્કાલિક નદી કિનારે સલામતી વ્યવસ્થા, ચેતવણીના બોર્ડ તથા ગાર્ડની નિમણૂંક કરવી જોઈએ જેથી આવાં બનાવો રોગથામ થઈ શકે. જાહેર જનતાને પણ અનધિકૃત રીતે નદીમાં પ્રવેશ ન કરવાનું મનાઈ આપવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.