બ્રેકિંગ ન્યુઝ
VTV / Benefits and Uses of Sendha Namak Rock Salt
Last Updated: 05:57 PM, 27 August 2020
ADVERTISEMENT
આ પત્થરના રૂપમાં પણ મળે છે. આમાં કુદરતી રીતે અનેક ખનિજ તત્વો રહેલાં હોય છે. સિંધવ મીઠામાં સોડિયમ સહિત ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, કોપર, સેલેનિયમ, બ્રોમિન અને આયોડીન જેવા તત્વો મળી રહે છે. આ જ કારણથી તે ઘણી બીમારીઓને પણ દૂર કરવામાં મદદ કરે છે.
ગરમ પાણીની સાથે લો સિંધવ મીઠું
ADVERTISEMENT
રોજ સવારે 1 ગ્લાસ ગરમ પાણીમાં થોડું સિંધવ મીઠું મિક્સ કરીને પીવાથી મેટાબોલિઝ્મ બૂસ્ટ થાય છે અને પાચનતંત્ર પણ મજબૂત બને છે.
પાચન સુધારે છે
સિંધવ મીઠાવાળું પાણી પીવાથી ખોરાક સરળતાથી પચી જાય છે. આ મોંમાં લાળવાળી ગ્રંથિને એક્ટિવ કરવામાં મદદ કરે છે, જેનાથી ખોરાક પચાવવાની પ્રક્રિયા વધુ સારી થાય છે.
અનિદ્રા
ઘણાં લોકોને તણાવને કારણે રાતે બરાબર ઊંઘ આવતી નથી. સિંધવ મીઠાવાળું પાણી પીવાથી સ્ટ્રેસ હોર્મોન્સ ઓછાં થાય છે અને તેનાથી અનિદ્રાનો પ્રોબ્લેમ દૂર થાય છે.
મસલ્સ પેઈન
મસલ્સ પેઈન થવા કે પછી હાડકાં સંબંધી સમસ્યાઓમાં સિંધવ મીઠું બહુ જ લાભકારક માનવામાં આવે છે.
પથરીની સમસ્યા
પથરીનો પ્રોબ્લેમ હોય તો પાણીમાં લીંબુનો રસ અને સિંધવ મીઠું મિક્સ કરીને પીવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપાયથી પથરી ઓગળીને નીકળી જાય છે. પણ આ ઉપચાર કરતાં પહેલાં કોઈ વિશેષજ્ઞની સલાહ અવશ્ય લેવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.